________________
૩૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ શરીરના કારણે મારો સિંહ નામને અંતેવાસી આણગાર શકાતુર બનીને રડી રહ્યો છે, માટે તમે તેની પાસે જઈને તે સિંહમુનિને મારી પાસે બેલાવી લાવ. આજ્ઞાનુસારે શ્રમણ ત્યાં ગયા અને સિંહને લાવીને મહાવીરસ્વામી પાસે લઈ આવ્યા. ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી વન્દન નમન કર્યા અને સન્મુખ બેસી ગયેલા સિંહમુનિને પ્રભુએ કહ્યું કે, હે સિંહમુનિ! મારા શરીરની દશા જોઈને તેને જે દુઃખ થયું છે તે માટે જાણવાનું કે હું છ મહિનામાં મરવાનો નથી પણ તે પછી સાડાપંદર વર્ષ સુધી કેવળી તરીકે જીવતે રહેવાનો છું. તે કારણે બધી ચિંતા છે. અને મેંટિક ગામમાં રેવતી નામની ગાથાપની(ધનાઢ્યની પત્ની ને ત્યાં જઈને મારા માટે બનાવેલા વનસ્પતિ વિશેષ બે કપત શરીર આધાકમી દોષવાળા હોવાથી લેશે નહિ. પણ વાયુનાશક બીજોરાપાક વહોરશે, જેથી હું રોગમુક્ત થઈશ. ભગવતની આટલી સ્પષ્ટ વાત સાંભળીને હર્ષિત થયેલ સિંહમુનિ મુહપત્તિ આદિ પાત્રની પ્રતિલેખના (પડિલેહન) કરીને રેવતી શ્રાવિકાને ત્યાં ગયે. પોતાને ત્યાં પધારેલ મુનિરાજનો ‘ધર્મલાભ” શબ્દ સાંભળીને ખુશખુશ થયેલી રેવતી વિનયવિવેકપૂર્વક મુનિરાજની સામે સાત-આઠ પગલા સુધી આવી. વન્દના આદિ કરીને આવવાનું કારણ પૂછતાં મુનિરાજે મહાવીરસ્વામીની આજ્ઞા ફરમાવી, અને કેવળજ્ઞાનીના જ્ઞાન પ્રત્યે પૂર્ણ વફાદાર રેવતીએ રસોડામાં જઈને બીજોરાપાકના વાસણને લઈ બહાર આવી અને શુદ્ધ શ્રદ્ધાપૂર્વક તે પાક મુનિરાજના પાત્રમાં વહેરાવતા રેવતી રાજ થઈ, જેનાં કારણે દેવગતિનું આયુષ્ય ઉપાર્જન કર્યું. પાંચ દિવ્ય પ્રગટ થયા, કેવળ પાંચમાં દિવ્યમાં એટલું વધારે જાણવાનું કે “રેવતીએ અરિહંતને દાન આપવાથી પોતાનો