________________
૨૫
માટે આવેલા અને અઠ્ઠાઈની તપસ્યા સાથે આરાધન કરેલું. સંવછરીના આગલા દિવસે મહારાજશ્રીએ સૌ સાથે મળીને વાર્ષિક પ્રતિક્રમણ કરવાને ઉપદેશ આપેલો સૌ મંજુર થયા અને તપાગચ્છ, ખરતરગચ્છ, અંચલગરછ, સ્થાનકમાણી તેમજ એકાદ તેરાપંથી ભાઈ પણ પ્રતિક્રમણમાં જોડાયા અને થોડું સહન કરીને પણ પ્રતિકમણની મજા રહી ગઈ. પારણા પછી મુંબઈ આવેલા મનસુખભાઈએ મહારાજશ્રીને કાગળ દ્વારા જણાવેલું કે –
મુંબઈ, અમરેલી તથા બીજા શહેરમાં સંવછરી પ્રતિક્રમણ ઘણું કર્યા, પણ જે આનંદ, હર્ષોલ્લાસ, મૈત્રીભાવ, વિર શમનના ચિત્રે સુજાલપુર મડીમાં આપશ્રીની હાજરી દરમ્યાન જેયા, તે બીજે ક્યાય જોવા મળી શક્યા નથી. જેના સમાજને પ્રેરણા આપે તેવા રૂડા સમાચારો આપે “જૈન પત્ર મા આપવાની મનાઈ કરી, તેથી જ આપશ્રીનાં આંતરજીવનની સરળતા પરખાઈ જાય છે. કહેવું પડે છે કે “જ્ઞાનસ્ય ફલં વિરતિ” આ સૂત્રને આપશ્રીએ જીવનમાં ચરિતાર્થ કર્યું છે તે માટે અંતઃકરણથી મારી વંદના સ્વીકારશે.”
આનાથી બીજી મેત્રીભાવના કઈ? સમાજના એકીકરણને પ્રસ્તાવ બીજે ક્યો?
પન્યાસજીશ્રી ગંભીર વિદ્વાન હોવા છતાં તેમનું પ્રાકૃતિક જીવન મિતભાષી રહ્યું હોવાથી ભગવતી સૂત્ર જેવા મહાન ગ્રંથની ભેટ સમાજને આપી શક્યા છે. શાસન દેવને પ્રાર્થના છે કે તેઓ પ્રવૃત્તિશીલ બન્યા રહે.
લી. અમૃતલાલ તારાચંદ દોશી
વ્યાકરણતીર્થ