________________
ર૭૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા ૩
લવસતમ દેવની વક્તવ્યતા :
મોક્ષની ભૂમિકામાં પ્રવેશ કરવા માટે ઉત્કૃષ્ટતમ સંયમની આરાધના કરનારા મુનિરાજોને પણ ઘણીવાર આયુષ્યકર્મની સહાયતા ન મળવાને કારણે વચમાં દેવકમાં વાસ કરે અનિવાર્ય બને છે કેમકે ઉત્કૃષ્ટતમ આરાધના પાંચ અનુતર દેવલોકને અપાવે છે. તેનાથી ઓછી આરાધના વૈમાનિક દેવલેકને મેળવી આપે છે. તેથી ઓછી આરાધના તિષી દેવલેકને આપે છે અને વિરાધનાપૂર્વકની સ યમરાધનાથી વ્યંતર દેવલેકમાં પ્રાપ્ત થાય છે તથા વિશેષ વિરાધનાપૂર્વકની સંયમારાધના કિબિશિયા દેવલોકમાં સ્થાન અપાવનાર છે.
આ પ્રશ્નોત્તર સર્વોત્કૃષ્ટ આરાધના માટે હોવા છતાં પણ અને આયુષ્યકર્મની સત્તા પણ બળવતર હોવાથી મુનિરાજને શિવમાર્ગે જતાં વચ્ચે સ્ટેશન કરવાનું રહે છે. લાખો વર્ષોની સર્વોત્કૃષ્ટ સંયમની આરાધના અને મોક્ષની નિકટ આવેલા હોવા છતાં, કેવળ સાત લવ પ્રમાણ આયુષ્યકર્મ કમ હોવાથી તેમને શરીર છોડવું પડે છે. •
સાત લવની વ્યાખ્યા :–અનાજની કાપણુમાં, દક્ષતા ધારણ કરનારે કેઈક શક્ત માણસ પાકી ગયેલા, પીળા પડેલા. કાપવા લાયક બનેલા ડાંગરને જવને કે ઘઉંને ભેગા કરી મૂઠીમાં પકડીને, તીખા ધારવાળા દાતરડા વડે “અત્યારે જ કાપી નાખ છે ? એમ કરી સાત સમયમાં તે કાપે છે. આ પ્રમાણે સાત મહી પ્રમાણ ધાન્યાદિકને કાપવામાં જેટલો સમય લાગે છે તે
સાત લવ પ્રમાણ કહેવાય છે. એક મુઠ્ઠી પ્રમાણે એક લવ તેમ સાત મુઠ્ઠી પ્રમાણ સાત લવ જાણવા સચમની આરાધના