SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ તપસ્વી–મહા તપસ્વીઓ, તથા શિયળની સાક્ષાત્ મૂર્તિસમ સાધ્વીજી મહારાજની ચરણરજથી પવિત્ર થયેલી રાજગૃહી નગરીમાં સમવસરણની સ્થાપના થયેલી છે. તેમાં બિરાજમાન ભગવંતના ચરણોમાં ઈન્દ્રો, દેવ, રાજા-રાણ, શેઠ-શેઠાણું ઉપરાંત અગણિત માનવ સમુદાય ઉપસ્થિત થઈને ભાવવંદન સાથે દ્રવ્યવંદન કરી સૌ કોઈ યથાસ્થાને બેસી ગયા છે. ભગવંતે દેશના આપતાં ફરમાવ્યું કે, “હે જીવાત્માઓ! અનંત, અગાધ અને અગમ્ય સંસારમાં ચારેય ગતિઓ અનાદિ કાળની છે અને અનંતકાળ સુધી રહેશે. તેમાં જનારા અને તેમાંથી બહાર આવનારા જી પણ અનાદિકાળથી અનંતાનંત છે અને અન તાકાળ સુધી અનંતાનંત સંખ્યામાં રહેશે. તે ચારે ગતિએમાં નરકગતિ પણ શાશ્વતી છે. જે રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને તમસ્તમપ્રભા નામે સાત નરક પૃથ્વીઓ છે. તેમાંથી રત્નપ્રભા પૃથ્વીમાં ૩૦ લાખ નરકાવાસે છે. જે સ ખ્યાત જન વિસ્તારવાળા પણ છે અને અસંખ્યાત જન વિસ્તારવાળા પણ છે ? નરકમાં ઉત્પાદક પ્રશ્ન-“હે પ્રભેરત્નપ્રભાના સ ખ્યાત જન વિસ્તારવાળા ૩૦ લાખ નરકાવાસમાં એક સમયમાં કેટલા જ જન્મ લે છે? * (૧) કાપિત લેશ્યાના માલિકે કેટલી સંખ્યામાં જન્મ (કૃષ્ણ લેશ્યાવાળા છઠ્ઠી અને સાતમી નરકમાં જાય છે, જ્યારે કાપત લેફ્સાવાળા જી રત્નપ્રભામાં જાય છે.)
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy