________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૧૦
૧૫૭ વ્યવહાર કર, એટલે કે રત્નપ્રભા પૃથ્વી કથંચિત્ અવક્તવ્ય છે અર્થાત્ નિરેશકાળ સર્વથા નાજુક હોવાથી જે સમયે સરપ શબ્દને વ્યવહાર કરાય છે તે જ સમયે અસરૂપ શબ્દ બોલી શકવા માટે અતીન્દ્રિયજ્ઞાની પણ સમર્થ નથી હતા તે બીજાની શી વાત કરવી? આ વાત પોતાના આત્મત્વ કે અનાત્મત્વની અપેક્ષાએ જ સમજવાની છે અર્થાત્ રત્નપ્રભા પૃથ્વી પિતાના ગુણ, પર્યાય કે નામની અપેક્ષાએ સદુરૂપ છે પરંતુ બીજી શર્કરા પ્રભા આદિના ગુણ પર્યાય કે નામની અપેક્ષાએ રત્નપ્રભા અસદું રૂપ છે.
અવક્તવ્યતા એટલે રત્નપ્રભામાં અસ્તિત્વ અને નાસ્તિત્વ રૂપ બને પર્યાને સર્વથા અભાવ, કે અવાસ્થત્વ જ હોય છે એમ સમજવાનું નથી, પરંતુ તે બંને પર્યા એક સમયમાં બોલી શકાતા નથી માટે તેમને અવક્તવ્ય શબ્દથી વ્યવહાર કર્યો છે. આ પ્રમાણે આગળ પણ સમજવું. તથા બીજી પૃથ્વીઓ, અનુત્તર વિમાન સુધીના દેવ કે અને પુગલ માટે પણ સમજવું.
- દ્વિપ્રદેશિક સ્કંધ માટે નીચે પ્રમાણે છ ભાગા ઘટાવવા. કથ ચિત્ સત્ , કથ ચિત્ અસત્ , કથંચિત્ અવક્તવ્ય, કથચિત્ ઉભયાત્મક, કથ ચિત્ સત્ અવક્તવ્ય, કથંચિત્ અસત અવક્તવ્ય જ્યારે ત્રિપ્રદેશિક માટે સાતે ભાગા જાણવા અને મૂળસૂત્રથી વધારે જાણવા ભલામણ છે.
જ શતક ૧૨ને દશમે ઉદેશો પૂર્ણ. જ