________________
વિથ છે પણ એક સરસ વાત કરે છે જે
ના પુત્રને
૧૪૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ મિથ્યાત્વની ઉત્પત્તિ મેહકર્મને આભારી છે અને કર્મો જડજ હોય છે, માટે તેની હાજરીમાં થતું અજ્ઞાન આત્મરૂપ હાઈ શકે નહિ, પણ સમ્યજ્ઞાન આત્માની ચૈતન્ય અને સભ્યત્વ શક્તિને આભારી હેવાથી તે આત્મરૂપ છે આ જ વાતને આમ કહી શકીએ કે આત્મા સ્વદ્રવ્યની અપેક્ષાએ જ્ઞાની છે અને પરદ્રવ્યની અપેક્ષાએ અજ્ઞાની છે. જેમકે- સ્વકીય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ ઘટ–પટ આદિમાં અસ્તિત્વ ધર્મ છે અને પરદ્રત્યાદિની અપેક્ષાએ નાસ્તિ ધર્મની વિદ્યમાનતા પણ નકારી શકાય તેમ નથી. જ્ઞાતાનો અભિપ્રાય કેઈ કાળે પણ એક સરખો રહેતું નથી. કેઈક સમયે ય પદાર્થની અમુક અપેક્ષાએ વાત કરે છે ત્યારે બીજા સમયે બીજી અપેક્ષાએ વાત કરે છે. એક પિતાએ પિતાના પુત્રને આદેશ આપતાં કહ્યું કે, “તું કુંભારને ત્યાં જજે અને અમદાવાદને, લાલ રંગને, નાના આકારને, પિષ મહિનાને બનેલે, માટીને ઘડે ખરીદીને લાવજે.” છોકરો કુંભારની દુકાને જાય છે અને તેને કહેવા મુજબ દુકાનદાર ઘડે બતાવે છે ત્યારે ખરીદનાર અસ્તિત્વ ધર્મની અપેક્ષા રાખ્યા વિના નાસ્તિત્વ પ્રકારથી જુદા જુદા પ્રશ્નો દુકાનદારને પૂછી શકે છે, કે, “શ આ ઘડે ખંભાતનો તે નથી ? પાટણને તે નથી? સવર્ણ અને ચાંદીને નથી ? ધળા–પીળા કે કાળા રંગને તે નથી ? ચૈત્ર વૈશાખાદિ મહિનાઓનો ઘડાયેલે તે નથી? મારા કહેલા આકાર કરતાં મેટા આકારને તે નથી ને ? માટીનો છે તે રાજસ્થાન કે માળવાદિ દેશની માટીને તે નથી ? ચીમનભાઈ આદિ કુંભારના હાથે તે બનાવેલું નથી ને ?” ઈત્યાદિ અગણિત પ્રશ્નો પૂછવા માટે ખરીદનાર છેક હક્કદાર છે, કેમકે તેના પિતાએ જે પ્રકારના ઘડાની ખરીદી