________________
શતક ૧૨ મું : ઉદ્દેશક-૧૦ રાક્ષસ તથા સ સારની માયારૂપ ડાકણ સર્વથા શક્તિહીન થયા પછી તમારે સ્વાધીન બનશે.
રૂપલી તથા મહુઘેલી કેશા વેશ્યાને સમજાવતાં શ્રી સ્થૂલભદ્ર મુનિરાજે કહ્યું હતું કે કેશા તારા શરીરના રૂપરંગ કરતાં પણ તારો આત્મા વધારે રૂપાળે છે, તે તું કેમ જોતી નથી ? સમજી લે જે કેશા આ તારું નમણું શરીર, મદભરી કમર, લીંબુની ફાડ જેવી આંખ, લાલ હેઠ, અને યુવાનીનાં તેફાનમાં ચકડેળે ચડેલી આ તારી શરીષ્ટિ તે એક દિવસે રાખમાં મળી જશે. આ તારા કાળા ભમર અને સુંવાળા વાળને કાળી નાગણ જે એટલે ઘાસના પૂળાની જેમ ફરરર કરતાં બળીને ખાખ થશે. તેલની માલીશ કરીને મજબુત થયેલા અને માખણના પીંડ જેવાં ચમકદાર હાડકાં અને ચામડાં સૂકા લાકડાની જેમ અગ્નિદેવને શરણ થતા ભમસાત્ થશે માટે ભાડાના મકાન જેવા તારા આ શરીરમાં રહેલા આત્મદેવની ઓળખાણ કર, જેથી તારો આત્મા તને અજર-અમર અને અનત શક્તિના માલિક જેવો લાગશે. કોશા ! ભેગવિલાસના માધ્યમથી શરીરને પાપનું ઘર બનાવીશ નહિ કેમકે કામદેવને તાવનૃત્ય કરવા માટે સ્ત્રીનું શરીર તે માયાનું મંદિર છે અને માછલાં જેવા જુવાન માણસેને પિતાના ચક્કરમાં ફસાવવા માટે જાળ છે, તે તું સમજ, બરાબર સમજ એકાંતમાં આ બ ધ કરીને તું તારા આત્માને વિચાર કરજે, જેથી શરીરની મસ્તીની માયા તારી છૂટશે અને આત્મા સાથે માયા બંધાશે. કોશા ! ક્ષણભંગુર શરીરને પંપાળવા કરતાં આત્માને ૫ પાળતી થજે.” અને એક દિવસ મદભરેલી કેશા વેશ્યાએ શ્રી સ્થૂલભદમુનિના ચરણમાં