________________
૧૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ કરોડ સાગરોપમ પછી ઉદયમાં શી રીતે આવ્યું છે માટે કર્મોની બહલતા જેમ સ્વીકાર્ય છે તેમ જન્માદિની બહુલતાને પણ માનવાની જ રહી.
આ બધી ચર્ચાને ફલિતાર્થ એ જ છે કે અનાદિ કાળથી પરિભ્રમણ કરતા જીવે કેઈપણ જાતિ, સ્થાન, કુળ, ચેનિઆદિ શેષ રાખ્યાં નથી અને “પ્લે ગ્રાઉન્ડ”ના ફૂટબેલની જેમ આપણે આત્મા ક્યાંય થંભ્યા વિના રખડપટ્ટી કરી રહ્યો છે.
પ્રત્યેક યોનિમાં ની અનંતવાર રખડપટ્ટી :
જિજ્ઞાસુ ગૌતમસ્વામીજીને સ બેધન કરતાં ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “હે ગૌતમ! રત્નપ્રભા નામની પ્રથમ નરકના ૩૦ લાખ નરકાવાસમાં આપણે જીવ કે જીવાત્માઓ તત્રસ્થ નારકની જેમ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય રૂપે અનેકવાર કે અનંતીવાર જન્મી ચૂક્યા છે અનેક અર્થ બેથી લઈને અસંખ્યાતવાર સુધી, અને અનંત એટલે જે સંખ્યારૂપમાં ન ગણી શકાય છે. સાર એ છે કે આ જીવ પહેલી ભૂમિમાં પૃથ્વીકાયાદિ રૂપે અનેક અથવા અનંતવાર જમ્પ, મર્યો છે.
બીજી પૃથ્વીથી યાવત સાતમી સુધી અને દેવલેક, ઈશાન દેવલેક સુધી અનેક કે અનંતવાર જમ્પ, મર્યો છે જ્યારે ત્રીજા દેવલકથી નવ રૈવેયક સુધીમાં કેવળ દેવીરૂપને છોડીને બાકી બધાં રૂપે અનેક અથવા અનંતવાર જન્મે છે. અને પાંચ અનુત્તરમાં દેવી રૂપે એકેયવાર અને દેવરૂપે અન તવાર