SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ “અવકાશાત્ર એટલે શું?” જવાબમાં કહેવાયું કે, “પૃથ્વીઓ કાચબા કે શેષનાગ ઉપર નથી ટકી કેમકે તે બને તિર્યચનિનાં જીવડાં હોવાના કારણે પૃથ્વીને ભાર ઉપાડવા માટે સર્વથા અસમર્થ છે. તેમનાં શરીરમાં ૩૩ કરોડ દેવતા પણ અવતરિત થાય તો ય પ્રકૃતિજન્ય વાતામાં ફેાર થઈ શકે તેમ નથી. ત્યારે જૈન શાસનમાં તેની મર્યાદા શી છે? નારક પૃથ્વીઓ એકની નીચે બીજી, તેને નીચે ત્રીજી આ કમે સાત પૃથ્વીઓ છે અસંખ્ય દ્વીપ અને સમુદ્રની વચ્ચે થાળીના આકાર જે (પૃથ્વીનો નાર ગી જેવો આકાર હોતે નથી ) જમ્બુદ્વીપ છે અને શરીરમાં રહેલી નાભિની જેમ બરાબર અધવચ્ચે લાખ એજનની ઊંચાઈવાળે મેરૂ પર્વત છે. તેની સમતલ ભૂમિથી એક લાખ એ શી હજાર જન જાડાઈવાળી પહેલી નરક ભૂમિ છે અને તે ઘનોદધિ ઉપર સ્થિત છે, ઘનોદધિ પણ ઘનવાત ઉપર અને તે પણ તનુવાત ઉપર સ્થિત છે તથા તનુવાતની નીચે જે આકાશ છે તે જ અવકાશાન્તરના નામે સંબોધાય છે ત્યાર પછી બીજી નરક પ્રથ્વીનો પ્રારભ થાય છે. યાવત્ સાતમી નરક પૃથ્વી સુધી આ ક્રમ છે અને તેની નીચેના આકાશને સાતમુ અવકાશાન્તર કહેવાય છે તેના ઉપર તનુવાત વલય, તેના ઉપર ઘનવાત વલય અને તેના ઉપર ઘનોદધિ વલય છે તેના ઉપર સાતમી નરક પૃથ્વી છે આ પ્રમાણે સાતમી અને છઠ્ઠી નરક પૃથ્વીની સૌથી નીચે છઠું અવકાશાન્તર, છઠ્ઠ તનુવાત, છઠ્ઠ ઘનવાત અને તેના ઉપર ઘોદધિવલય છે અને તે ઉપર છઠ્ઠી પૃથ્વી છે. આ પ્રમાણે યાવત્ પહેલી પૃથ્વી સુધી સમજી લેવું. •
SR No.011558
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanadvijay
PublisherJagjivandas Kasturchand Shah Sabarkantha
Publication Year1979
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy