________________
લેખકીય નિવેદન
શતક ૧૨ થી ૨૦ સુધી વિસ્તૃત અને સર્વગ્રાહ્ય વિવેચનથી પૂર્ણ “ભગવતી સૂત્ર સાર સંગ્રહને ત્રીજો ભાગ પ્રકાશિત થતાં મારા આનન્દની સીમા રહેતી નથી. ૪૨ વર્ષના ચરિત્ર પર્યાયમાં જૈન વાણમાં સર્વશ્રેષ્ઠ દ્વાદશાંગી અને તેમાં પણ ભગવતીસૂત્રની યત્કિંચિત્ અંશે પણ હું સેવા કરી શક્યો છું તથા પંડિતેથી લઈ સર્વસાધારણ જ્ઞાન જિજ્ઞાસુઓને એક ઉત્તમોત્તમ ભેટ આપી રહ્યો છું માટે આવા પવિત્ર કાર્યમાં મને શા માટે આનન્દ ન થાય? તેમ છતાં મારા કાર્યમા જે ભાગ્યશાળીઓને મને સહકાર મળે છે તેમને સૌને હું ત્રણ છું. (૧) સ્વપ્નમાં પણ શ્રદ્ધેય, ધ્યેય, સ્મરણીય પરમપૂજ્ય
ગુરુદેવશ્રી વિદ્યાવિજયજી મ.નો અસીસ આશીર્વાદ મારા ક્ષપશમનું મુખ્ય કારણ બન્યું છે તે વિના મારા જેવા
નિઃસહાય અને પ્રમાદીને આ ઉત્સાહ કયાંથી આવે ? ( ૨ ) મને બેલતે બંધ કરીને લેખનકાર્યમાં ઉતારનાર સ્વ.
મનસુખલાલ મહેતા, આનાથી પહેલા પ્રકાશિત થયેલા ભગવતીસૂત્રના પ્રકાશક, લેખકે તથા મારા કાર્યને પ્રોત્સાહિત કરનારા મુંબઈના સંઘે તથા બીજા પુણ્યશાલીઓનું મરણ ભૂલાય તેમ નથી.