________________
૫૮ ] સંયમીની મહાનમાં મહાન શક્તિ છે ગુરુકૃપા ગરવ સ્મૃતિમાં રાખી સન્માગે આગેકૂચ કરવી જોઈએ. પણ તેનાથી અભિમાનની તે કયારેય વૃદ્ધિના કરવી જોઈએ.
કાદવમાં કમળ પણ પિદા થાય છે અને દેડકે પણ પેદા થાય છે. માનવ જ મોક્ષે જઈ શકે છે અને માનવ પણ મરીને સાતમી નરકે જઈ શકે છે.
તીથ કમક્ષયનું નિમિત્ત પણ બને છે અને કર્મબંધનું પણ કારણ બને છે. તે ગોત્રકુળની શી વિશાત ? ઉચ્ચ કુળમાં પેદા થવા માત્રથી ઉંચા-નીચા નથી બની શકતું. નીચકુલમાં પેદા થવા માત્રથી નીચ નથી બની જવાતું ગોત્ર અને કુળનું અભિમાન રાખવું તે કર્મ સિદ્ધાંત માનનારને શું યોગ્ય કહેવાય ? -
ઉચ્ચ ગોત્ર કે નીચ નેત્ર એ પણ કર્મનો જ ભેદ છે. મેક્ષે જવામાં બંને ન જોઈએ. સંપૂર્ણ શેત્ર કમ ક્ષય થાય ત્યારે જ સિદ્ધાવસ્થાના સુખ મળે.
ઉચ્ચ ગેત્રનું અભિમાન સંસારમાં પરિભ્રમણ કરાવે. ન ગાત્રનો તિરસ્કાર પણું સંસારમાં પરિભ્રમણ કરાવે. જગતમાં કયા કુળમાં જન્મ લીધે એ બહુ મહત્વનું નથી. તમે શું કર્તવ્ય કર્યું ? એ ખૂબ મહત્વનું છે...
ગુરૂદેવ ! એક પ્રશ્ન કરું ?.......અપરાધ સમજે તે માફ કરોપણ, મારા હૃદયના સમાધાન માટે પ્રશ્ન પૂછું છું. પરમાત્મા મહાવીર સ્વામીને દેવાનંદા બ્રાહ્મણની કુક્ષીમાંથી ગર્ભાપહાર થયે અને ત્રિશલા ક્ષત્રિયાણની કુક્ષીમાં પરમાત્મા મહાવીર સ્વામીને સ્થાપન કર્યા. કપસૂત્રના આગમપાઠ સાક્ષી આપે છે. તીર્થકર ભગવત અંત–પ્રાંત ભાગમાં જન્મ લેતા નથી. જે ઉચ્ચ ગોત્રનું મહત્વ ન હોત તો આ ઘટના બનત ?....