________________
૪૮
યુગપ્રધાન બીજિનચંદ્રષિ એ પણ નોંધવા જેવું છે કે બીકાનેરના ઘણા વખતથી, બંધ રહેલા પુસ્તક ભંડારો જેવા તપાસવાની મમ્હામહેનતે. પ્રાપ્ત થએલી તક લેખકને ન મળી હત, તે આ ગ્રન્થની. અનેક હકીકતો પ્રકાશમાં આવી શકી ન હતી. જૈન પુસ્તક ભંડાર સ્થળે સ્થળે વિદ્યમાન છે, પણ તે એવી સ્થિતિમાં છે કે તેનો લાભ વિદ્રાને પુરાતત્વના શેાધકોને પણ મળી શકતો નથી એ અતિશાકનો-દુર્ભાગ્યને વિષય છે. આ વખતે અમદાવાદમાં એક પુસ્તકાલયનો પાયો નાંખતાં પુસ્તકાલયનાં મકાન, વ્યવસ્થા અને જૈનસંઘના ગ્રંથ ભંડારોની દશા સંબંધી. મહાત્માજીએ કેટલીક ઘણી મહત્વની સૂચનાઓ કરી છે. છેલ્લે છેલ્લે છેડે દર્દભર્યો વિનેદ પણ કર્યો છે. તે અહીં અવતારવાનું રોકી શકાતું નથી. તેઓ કહે છે “ગુજરાતમાં જૈન ધર્મના પુસ્તકના ઘણા ભંડાર છે પણ તે વાણીઆને ઘેર છે. તેઓ એ પુસ્તકને સુંદર રેશમી વમાં વીંટાળીને રાખો. છે. પુસ્તકોની એ દશા જોઈ મારૂં હદય રડે છે, પણ જે રડવા બેસું તો હું ૬૩ વર્ષ જીવું પણ શી રીતે ? પણ મને તે એમ થાય છે કે જે ચોરીને ગુન્હો ન ગણાતો હોય તે એ. પુસ્તકે હું ચોરી લઉં અને પછી એમને કહું કે તમારે માટે એ લાયક નહતા માટે મેં ચોરી લીધાં. વણિકે એ ગ્રંથિને નહીં શોભાવે, વણિકે તે પૈસા ભેગા કરી જાણે અને તેથી જ આજે જૈનધર્મ જૈનસાહિત્ય જીવવા છતાં સુકાઈ ગયાં છે.. ધર્મ પિસાના ઢાલામાં કેમ પડે? પૈસો ધર્મના દ્વાલામાં. પડો જોઈએ
આ પરથી શ્રીયુત “સુશીલ” નામના સુપ્રસિદ્ધ પત્રકાર જણાવે છે કે મહાત્મા ગાંધીજી જેવા સાત્વિક વૃત્તિવાળા