SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ - જિનયુગપ્રધાન શ્રીચંદ્રસૂરિ અને ગુણવિનયજીએજ સં. ૧૬૪૭ માં મેડતામાં “દમયંતી ચપૂવૃત્તિ ” ની રચના કરી, એ ની પ્રશસ્તિમાં પણ મંત્રીશ્વરનું નામ છે. એટલે તે સમયે તેઓ મેડવામાં આવી ગયા હતા. જ્યારે મંત્રીશ્વર મેડતામાં હતા, ત્યારે એમને બેલાવવાના રાણું માનસિંહ આદિ કેટલાય નૃપતિઓના આમંત્રણ આવ્યા. પરંતુ તેઓ ચંચળ ન થતાં ધીરતાપૂર્વક, કેટલાક માસ સુધી ત્યાંજ રહ્યા. કારણ કે સાધારણ નૃપતિઓની સેવા કરવાનું એમને અનુચિત લાગ્યું. સમ્રાટ અકબર એમના ગુણસમૂહથી બરાબર પરિચિત હતા કેમકે રાજા રાયસિંહની સાથે મંત્રીશ્વર અનેકવાર સમ્રાટને મળી ચૂકેલ હતા. સમ્રાટે એનાં વાક્ચાતુર્ય, યુદ્ધ કૌશલ, અને પરમ રાજનીતિજ્ઞતા આદિ સદ્ગુણોની પ્રશંસા. રાયસિંહના મઢે સાંભળેલી, તેમજ પિતે સ્વયંપણ અનુભવેલી. આ પ્રસંગ પર સમ્રાટે મંત્રીશ્વરને પોતાની પાસે લાહોર મોકલવાનું રાજા રાયસિંહને ફરમાનપત્ર મોકલ્યું, ત્યારે રાયસિંહજીએ સમ્રાટના ફરમાનની સાથે સાથે પોતાની તરફથી અભુત કૃપાસૂચક વાક્યોથી ભરપૂરે આદેશપાત્રસમ્રાટ પાસે જવાને કથનને પુષ્ટિ આપે છે. સારાંશ એ કે કર્મચન્દ્રજી રાજ્યવિદ્રોહી કહેતા, નં. ૩, અને ૪ ના કરે છે પણ મહત્વના કે વિશ્વસનીય, નથી જણાતા, કારણ કે તમામ આધુનિક લેખકે, સમ્રાટ અકબગ્ની સેવામાં મંત્રીશ્વરનું દિલ્હી જવાનું લખે છે, પરંતુ એ સમયે સમ્રાટ લાહોરમાંજ રહેતા હતા, અને તે પછીય ઘણું વર્ષો સુધી લાહોર રહેલા. એટલે એમનું આ લખાણ અયુફત અને ભ્રમપૂર્ણ છે, નથી સમજાતું કે કઈ રીતે આધુનિક ઈતિહાસકારોએ (!) ભળતી સળતી વાત લખી નાંખી છે. •
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy