________________
૩૩.
વ્યવહારે જીવ કર્મને કર્તા છે. કારણ બે પ્રકારનાં છે, એક ઉપાદાને કારણે બીજું નિમિત્ત કારણ. જેવું ઉપાદાન કારણ હોય તેવું જ કાર્ય થાય. કેમકે જ્યાં સુધી કાર્ય બન્યું રહે ત્યાં સુધી ઉપાદાને કારણે અભેદ ભાવે તેની સાથે જ રહે છે. ઉપાદાન એટલે મૂળ કારણ જેમ ઘડાનું ઉપાદાન કારણ માટી છે. માટીનાં જેટલાં કાર્યો થશે-ઘડા, માટલાં, હાંડલાં, તાવડી, કથરોટ, કુંડાં વિગેરે-તે સર્વમાં તમને માટી જ માટી દેખાશે, તે ફૂટી જશે. તે પણ માટીજ રહેવાની, આ ઉપાદાન કારણ કહેવાય છે. હવે ઘડે બનાવવામાં નિમિત્તે કારણે કુંભાર, ચાકડ-ચક, દોરી વિગેરે છે પણ તેઓની હૈયાતિ આ માટીના ઘાટ બન્યા રહે ત્યાં સુધી રહે કે નપણું રહે, કેમકેનિમિત્ત કારણ કાર્યો થયા પછી નાશ પામે તોપણ કાર્યોએ નાશ પામવું જ જોઈએ એ કાંઇ નિયમ નથી. આનું નામ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણમાં તે એ નિયમજ છે કે કાર્યોના અણુએ અણુમાં ઉપાદાન કારણે અભેદ રૂપે વ્યાપક થઈ રહેવું જ જોઈએ. આમ હોય તે જ ઉપાદાન કારણ થઈ શકે છે.
હવે આપણે મૂળ વાત ઉપર આવીએ. કર્મનું ઉપાદાન કારણ આત્મા નથી પણ નિમિત્ત કારણ છે. જે કર્મનું ઉપાદાને કારણે આત્માને માનવામાં આવે તે આત્મા ચૈતન્ય છે,અને કર્મ જડ છેછતાં તેનું ઉપાદાન કારણ આત્મા માનીએ