SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ભણી મમતા અને પ્રેમભરી લાગણી દર્શાવે. બીજાઓને અવાસ્તવિક અભિપ્રાયેનો વિચાર ન કરતાં કાયમ પરમેશ્વર સંબંધી વિચાર કરે. પ્રભુતામાં વિરામ પામે. ૫૫ કાંઈ પણ આશાના પાશમાં ન બધાઓ, ચિંતા, ભય, ઉપાધિથી દૂર રહે, તમારી વાસનાઓ તમારી નિર્બળતા છે. પોતાની વાસનાઓથી જ મુશ્કેલીઓ અને વ્યાધી ઉત્પન્ન થયાં છે તેમ બરાબર સમજે. ૫૬ જ્યારે જ્યારે નિર્બળતાને અંતઃકરણમાં સ્થાન આપીએ છીએ, કે વિષય સુખની વાસનામાં ફસીએ છીએ, ત્યારે ત્યારે દુષ્ટ વિચારરૂપી દુશ્મને નાના પ્રકારનાં મેહક સ્વરૂપ કરી મેહ જાળમાં ફસાવે છે. આત્મસાક્ષાત્કારની ઈચ્છાવાળાએ તે નીચ વૃત્તિઓ નિર્મળ કરવી જ જોઈએ. એ વૃત્તિઓના મૃત્યુમાંજ તમારું સાચું જીવન રહેલું છે. પ૭ લેવામાં નહિં પણ દાન કરવામાં, ત્યાગ કરવામાં જ સાચું સુખ સમાયેલું છે. જે ક્ષણે તમે યાચના કે પ્રાર્થના કરવાનો ભાવ તમારા અંતઃકરણમાં લાવે છે તે જ ક્ષણે તમે તમારી શક્તિને સકેલી ૯ છો, તમારું આત્મબળ સંકેચાઈ જાય છે, તે તમે તમારા આત્મસુખથી વિમુખ થાઓ છો. ૫૮ દોષ થવાનું કારણ શોધી તે સંબધી વ્યાખ્યાન તમે તમારી જાતને સંભળાવે. તમેજ તમારા ઉપદેશક બનો. પિતાનું કામ પિતેજ કરવું જોઈએ. ઉપાધિનું મૂળ અજ્ઞાન છે. આત્માનું અજ્ઞાન, દેહમાં મિથ્થા અધ્યાસ અને બહારના પદાર્થોમાં સુખની ઈચ્છા; એજ દુઃખ, શોક, ખેદ કે ઉપાધિનું મૂળ છે. ૫૯ મનુષ્ય જ્યારે ભયકર દુઃખવાળું પરિણામ સહન કરે છે, ત્યારેજ પિનાની નીચ વાસનાને ત્યાગ કરે છે. એક જ વખત પવિત્ર
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy