________________
अनमः
પ્રસ્તાવના. આ ગ્રંથનું નામ મહાવીર તત્વ પ્રકાશ એટલા માટે રાખવામાં આવ્યું છે, કે આની અંદર મહાવીર પ્રભુના મુખ્ય સિદ્ધાંત તરિકે મનાતા જીવ, અજીવ, આવ,બધ, સંવર, નિર્જરા અને મોક્ષ રૂપ તાનું વર્ણન કરવામાં આવેલ છે. આવા તત્વને પ્રતિપાદન કરનારા અનેક ગ્રંથે છપાયેલ છે છતાં આ ગ્રંથ તે બધા ગ્રંથની અપેક્ષાએ જુદીજ દૃષ્ટિએ લખાયેલો છે. આત્માને લક્ષમાં રાખીને દરેક તત્ત્વમાં આત્માની મુખ્યતા રાખવા પૂર્વક તે તે તનું વર્ણન અધ્યાત્મિક દષ્ટિએ કરવામાં આવેલ છે. આજ સુધીમાં તત્ત્વ સંબંધી બહાર આવેલા ગ્રંથોમાં આ પતિનો ગ્રંથ પ્રથમજ છે. એમ મારી માન્યતા છે. આવા ગ્રંથો આન્મ દૃષ્ટિને વિકાશ કરનારા અને સત્તામાં રહેલી આત્મ શક્તિને જ ગાડનારા છે. પ્રભુ મહાવીર દેવ જ્યાં જ્યાં વિચારતા ત્યાં ત્યાં તેમને મુખ્ય ઉપદેશ આજ હતો કે “ જ કર્મોથી કેવી રીતે બંધાય છે અને તેનાથી કેવી રીતે છુટે છે. ” આ સર્વ હકીક્ત આ ગ્રંથમાં હોવાથી તે ગ્રંથનું નામ “મહાવીર તત્વ પ્રકાશ” રાખવામાં આવ્યું છે તે યથાર્થ છે. આ તો નિશ્ચય વ્યવહાર પૂર્વક બરાબર સમજવાં તે જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા થવી તે દન છે અને તે પ્રમાણે આવતાં કર્મને અટકાવી પૂર્વના કર્મની નિર્જરા કરવી તે ચારિત્ર છે. એટલે જ જ્ઞાનને વરાળ મામા: આ પૂર્વાચાર્ય રચિત સૂત્ર એજ મોક્ષને માર્ગ છે. તે માર્ગનું વિવરણ આ ગ્રંથમાં છે. પુન્ય અને પાપને આશ્રવ તત્તવમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે