SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ es સત્તામાં તે તે કર્મો રહેલાં તે હોય છે; કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યાં જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મને તે ઉદય નિષ્ફલ કરવામાં આવે છે અને તે દ્વારા કર્મને ક્ષય થાય છે. પરંતુ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલાં કર્મો ઉદીરણું રૂપે થઈને જે મોડાં ઉદય આવવાનાં હેય તે વહેલાં બહાર આવે છે. આ વખતે તે સાધકની જે પૂરેપૂરી તૈયારી ન હોય, ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય તે ઉદય એવેલાં કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાના સ્થાનમાં પડેલે અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પિતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું તેનું બળ ઓછું થઈ જાય છે, અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ, આત્મસત્તા સામે પિતાનું જોર વાપરી શતું નથી. જેમ કેઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજે રાજા ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી પિતાને બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે, અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હટાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકી વખતે હલે કરે છે અને શત્રુને હરાવે છે. આ દષ્ટાંતે આત્માની આગળ ઉપશમ ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હતું તેવા પ્રસંગે મેહશત્રુ તેનાપર ચડાઈ કરે છે, તે વખતે આ જીવ અમુક અમુક જાતના વ્રત, ૫. તપ, નિયમ, જ્ઞાન.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy