SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ કાદવ વડે પાસે નથી–કાદવ સ્વરૂપે પરિણમતે નથી, તેમ જે મનુષ્યને વિષય પરત્વે મમત્વ રહેલું નથી તે વિશુધ્ધ આત્મા વિષરૂપ કાદવ-વડે લપાતો નથી. કોઈપણ કામમાં આશક્તિ હોવી તેજ કર્મોથી વેપાવાનું-અંધાવાનું કારણ છે, તે ન હોવાથી કોઈ વિષમ પ્રસંગે તેવા મનુની વિષયે તરફ પ્રવૃત્તિ દેખવામાં આવે તે અંદરના ઉંડાણુની અને સત્ય તરિકે માનીને કરાતી ન હોવાથી તે જીવ તેમાં લેવાતા નથી. અર્થાત્ જેમ રત્ન કાદવમાં પડવાથી ઉપરથી ખરડાય છે પણ તે થોડા પાણીથી તરત જ શુદ્ધ થાય છે. તેમ તે મનુષ્ય અંદરથી લેપાતે નહાવાથી તરતજ વિશુદ્ધ થઈ શકે છે. જેને તત્વ દષ્ટિએ દેહ તથા આત્માને ભેદ બરાબર સમજાય છે તેને વિષને વિષે કોઈ પણ વખત આ શક્તિ થતી નથી. શુભ, અશુભ અને શુષ એમ જીવમાં ત્રણ પ્રકારના ભાવે થાય છે અને તે અનુક્રમે પુન્ય, પાપ અને મેક્ષના કારણરૂપ જીને થાય છે. ભગવાનનું પૂજન, દાન, વ્રત, તપ, જપ, સ્વાધ્યાયાદિ તે જીવને શુભ ભાવ છે તેથી પુન્ય બંધાય છે, હિંસા, અસત્ય, ચોરી, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, અભિમાન, કપટ, લોભ, રાગ રહ શ્રેષ-ઈર્ષા, કલેશ, કંકાસ-લડાઈ. જુઠું આળ આપવું, ચાડી ખાવી, હર્ષશેક, નિંદા, કપટ સહિત જુઠું બોલવું, અને અસત્યમાં સત્યની ભ્રાંતિ, સત્યમાં અસત્યની માન્યતા આ સર્વ આત્માના અશુભ ભાવે છે તેથી પાપબંધાય છે.
SR No.011549
Book TitleMahavira Tattva Prakash 01
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages471
LanguageGujarati
Classification
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy