________________
૧૫૮
ધારણું પ્રમાણે અનુકૂળ સંચાગોની પ્રાપ્તિ થાય એવી એવી કાંઈ પણ ઈચછા વાસના કે તૃષ્ણા નથી, પણ આ સર્વ ધર્મ કિયાથી મારું આત્મસ્વરૂપ જ પ્રગટ થાય એવી જેની લાગણી છે તથા જેના આહાર વિહારાદિ સાત્વિક અને આત્માની ઉન્નતિને અનુકુળ છે તે સમભાવવાળો શ્રમણ નવાં કર્મ બાંધતે નથી, આવા યોગીઓ ક્રોધાદિ કિષાયને નિર્બળ બનાવે છે, સ્ત્રીની કથા, દેશની કથા, જનની કથા અને રાજ ખટપટની કથાનો ત્યાગ કરે છે, નિદ્રાને જય કરે છે, રાગને બદલે વૈરાગ્ય ધારણ કરે છે, ઇન્દ્રિયોને વિજય કરે છે, જીવન મરણના અને પ્રસંગને સરખાં અનુભવે છે. શત્રુ અને મિત્રમાં સમાન દાણ ધરાવે છે, તને સુખ દુઃખ સમાન ભાસે છે, આહારાદિની ગવેષણ કરતાં પણ જેઓ નિરંતર આત્માની શુદ્ધિ કરે છે, પોતાની શરી૨ની શક્તિને ન-છુપાવતાં તપશ્ચર્યા કરે છે. આત્માની શુદ્ધિ કરવામાં દેહની પણ દરકાર કરતા નથી, તેઓ કર્મની નિજ કરીને આત્માને ઉજવળ કરે છે.
જેઓ આહાર માટે, સંયમ માર્ગમાં ઉપયોગી ઉપકરણે માટે, રહેવાના સ્થાન માટે, દેશ કાળ, બળ, પરિશ્રમ, લાભાલાભને વિચાર કરીને વતે છે તેઓને કર્મનો બંધ ઘણેજ અલ્પ થાય છે, અર્થાત્ નથી થતો. જે કામ કરવાથી સંયમને ધક્કે પહોંચે, લેકે વિરોધી થાય, અને પિતાને પરિણામે કલેશ થાય તેવું કાર્ય પ્રભુ માર્ગના પ્રવાસીઓએ કરવું. નહિં.