________________
ભેદ છે. જો કે જ્ઞાનવરણય કર્મના ક્ષપશમથી આ જ્ઞાન પ્રગટે છે, છતાં આત્મદષ્ટિ જાગૃત થયેલ જીવ વસ્તુતત્વને તેના ખરા સ્વરૂપમાં જાણે છે ત્યારે તેનું જ્ઞાન તે સમ્યકુ જ્ઞાન કહેવાય છે, અને વિપરીત રીતે વસ્તુતવને જાણનારનું જ્ઞાન તે મિથ્યા જ્ઞાન કહેવાય છે. માટે પ્રથમના ચાર જ્ઞાન તે સમ્યજ્ઞાન છે અને તે પછીનાં ત્રણ જ્ઞાનતે મિથ્યાજ્ઞાન છે.
વસ્તુતત્ત્વનું ખરું સ્વરૂપ. દરેક પદાર્થો પાત પિતાના સ્વભાવમાં રહેલા છે. તેના સ્વભાવમાં સંગ સંબંધથી ફેરફાર થતો નથી. સગ સંબંધ એટલે એક પદાર્થની સાથે એકજ સ્થાનમાં અનેક પદાર્થોનું જોડાઈને રહેવાપણું થાય છે તે. દષ્ટાંત તરિકે જીવ અને પુદ્ગલે– એક સાથે રહેવા છતાં જીવ એ જડ પુદગલ રૂપ થતું નથી અને પગલે તે જીવ થતાં નથી. આકાશમાં અનેક જીવ પગલે રહ્યા છે તે છતાં આકાશ તે રૂપ થતું નથી, તેમ તે આકાશ રૂ૫ થતાં નથી. તેવી રીતે દેહમાં આત્મા રહેલ છે છતાં દેહ એ આત્મા થતો નથી અને આત્મા એ દેહ થતું નથી. વસ્તુના પર્યાય બદલાય છે પણ વસ્તુનો નાશ થતો નથી. વસ્તુ તે મૂળ દ્રવ્ય, તે જુદા જુદા આકારમાં ગોઠવાય એ રૂપે તેની તે ઉત્પત્તિ કહેવાય, પૂર્વના આકારને ત્યાગ એ નાશ કહેવાય, છતાં આ ઉત્પત્તિ અને નાશ એ બને સ્થાને તે મૂળ વસ્તુની