________________
૧૦૮
આજ જોઈએ અને આ નજ જોઇએ. આ હોય તે ઠીક પડે અને આ ન હોય તે ફિક પડે, એ આગ્રહ કે એવી અપેક્ષા આત્માથી એ રાખવી નહિં, પણ પૂર્વે બાંધેલાં પોતાનાં શુભાશુભ કર્મમાંથી સુખ કે દુ:ખ જે વખતે જે ઉદય આવે તે સમભાવે સહન કરતા રહેવું. અમુક વસ્તુને આગ્રહ બંધાવે કે અમુક વિના ન જ ચાલે તેવી લાગણીઓ આર્તધ્યાનરૂપ અશુભ ધ્યાન ઉત્પન્ન કરનારી છે. આર્તધ્યાનથી જીવ ઘણું નવીન અશુભ કર્મ બાંધે છે, માટે જે વખતે જે જે વસ્તુ વિગેરે મળી આવે તેમાં સંતોષ માનતાં અને તેથી ચલાવી લેતાં ટેવાવું જોઈએ.
આત્મજ્ઞાનથી શુદ્ધિ થાય છે. વિપરીત દષ્ટિવાળા ઘણા જ બીજા ઉપાયથી શુદ્ધિ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખે છે અને તે માટે પ્રયત્ન પણ કરે છે છતાં આ તે જ્ઞાનીઓને નિશ્ચયજ છે કે આત્માના જ્ઞાન વડેજ આત્માની શુદ્ધિ થાય છે. આત્મા સિવાય અન્ય પદાર્થ જે જડ પુદ્ગલ-માયા રૂપ છે. ચા અજીવ છે તે પદાર્થોનું તે આત્માની આડે આવરણ જ છે. આ આવરણ એજ અશુદ્ધિ છે, તે પદાર્થથી આત્માની શુદ્ધિ થઈ શકે જ નહિં, તેના ત્યાગથી જ શુદ્ધિ થાય, અથવા આવરણના વિરોધી તત્ત્વથી આવરણ જાય-શુદ્ધિ થાય. જેમ તાપથી ટાઢ જાય છે તેમ આ જડ માયાને વિધી ચૈતન્ય ભાવ