SearchBrowseAboutContactDonate
Page Preview
Page 629
Loading...
Download File
Download File
Page Text
________________ ગ, પાન-નાક-કાન કા નામ પર - ક જ - - - - - - - - - - ધર્મધ્યાયુન બ્રહ્મજ્ઞાન હિતકર બને છે. ( ૫ર૭ ) પૂન છે માટે આત્મજ્ઞાનીએ વ્યાવહારિક ધાર્મિક કર્મપ્રવૃત્તિને નિષ્કામ ભાવથી સેવવી જોઈએ અને તેવી દશા ન થાય તે પ્રશસ્યાને પ્રેમથી તેવા કર્મોને સેવવા જોઇએ. કેરી પાક્ત તે સ્વયમેવ બીટાના પાકની સાથે ડાળી પરથી પૃથ્વી પર પડે છે તકત રાનની પરિપકવતા થતા સ્વયમેવ સર્વ કામનાઓ અને ફલેચ્છાઓ રહિત નિષ્કામ ભાવે ફરજરૂપ ધર્મથી કર્તવ્યકમેને સેવી શકાય છે એમ સર્વત્ર સર્વ કર્તવ્ય કાર્યોમાં જ્ઞાનીઓએ એ પ્રમાણે ઉપદેશ જે. અવતરણ –અપાત્ર મનુષ્યને આત્મજ્ઞાન છે તે હિતકારક થતું નથી પણ ધર્મકર્મના સંબંધે તે હિતકર થાય છે એમ જણાવવામાં આવે છે. श्लोकः अपात्रोतषु स्वात्म ज्ञानं स्वात्महिताय न । धर्मक्रियानुषङ्ण ब्रह्मज्ञानं हिताय तेत् ॥ ११७ ॥ શબ્દાર્થ –અપાત્ર શ્રોતાઓને વિષે સ્વાત્મહિતાર્થે આત્મજ્ઞાન થતું નથી. ઘક્રિયાનુષને બ્રહ્મજ્ઞાન હિત માટે થાય છે. વિવેચન—આત્મજ્ઞાન છે તે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ છે પરંતુ તે અપાત્ર શ્રોતાઓને આત્મજ્ઞાન હિતકારક થતું નથી. તેનાં અનેક કારણે છે. ધર્મકર્મની પ્રવૃત્તિદ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ સેવા ભકિત, અન્ય ધર્મકાર્યપ્રવૃત્તિ વડે બ્રહ્મજ્ઞાનને બોધ હિતાર્થે થાય છે. કર્મ કરતા કરતાં ગુરુસેવાથી જે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બ્રહ્મજ્ઞાનથી કદાપિ પતિત થવાનું નથી. પાત્ર યોગ્ય મનુષ્યને બ્રહ્મજ્ઞાનને ઉપદેશ અને તેની પ્રાપ્તિ ખરેખર હિતાર્થ થાય છે. જે પ્રેમી અંશ અવતરે, પ્રેમરસ તેના ઉરમાં ઠરે તેની પેઠે પૂર્વ ભવના સંસ્કારી આત્માઓને આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યાથી તેઓની ઉચદશા થાય છે. અન્યથા તે સંશયમાં પડી જાય છે વા શુષ્કનાસ્તિક બની જાય છે. યેગ્યતા વિના આપેલું પચતું નથી. સેવાદિ કર્મોની પરિપકવતા થયા વિના આત્મજ્ઞાનની મહત્તાને ખ્યાલ ખરેખર શિષ્યને આવતું નથી અને તેને ખ્યાલ આવ્યા વિના ગુરુઓની મહત્તા અવબોધાતી નથી તથા આત્મજ્ઞાનની સ્થિરતા પણ થતી નથી, અમાત્ર શ્રોતાને આત્મજ્ઞાનને ઉપદેશ અસર કરતા નથી અથવા તેની બુદ્ધિમા તેથી ભેદ ઉત્પન્ન થાય છે અને તેથી પરિણામે તેના આત્માનો નાશ થાય છે. ભગવદગીતામાં કહ્યું છે કે જ ફુરિ જનરઝાનાં નિમ્ કર્મસંગી એવા અજ્ઞાનીઓની ધમાં
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy