SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - ખાન-પાન અને શ્રી કમગ ગ્રંથ-સવિવેચન, -- --~~~-~~- ~*~ નિર્મોહવૃત્તિથી કાર્ય કરવાની આત્મશક્તિને જાગ્રત કરી શકાશે. કાર્યપ્રવૃત્તિને સ્વારિકા સેવતાં જ્યારે આત્મસાક્ષીએ સર્વ કરાય; પણ તેમાં હું મારું એવી વૃત્તિથી બંધાઈ. ન જીવાય ત્યારે અવધવું કે હવે આત્મપ્રગતિ કરવાને જ્ઞાનેગપૂર્વક કર્મવેગને ખરે અધિકાર પ્રાપ્ત થયો છે. જ્ઞાની આત્મસાક્ષીએ કર્નવસહ ત્યાગ કરીને વ્યાવહારિક દૃષ્ટિની પ્રવૃત્તિઓ દ્વાધિકાર સમાયાત કાર્યને કરે છે તેથી તે આત્મામાં પરમાત્મપદ પ્રકટાવીનેઅન્તરથી કૃતકૃત્ય થઈ વિશ્વને ઉદ્ધાર કરી શકે છે. આત્મજ્ઞાની અન્તરમાં નીચે પ્રમાણે વિચારે છે. આ વિધિમાં કર્તુત્વની અહંવૃત્તિ રાખવી એ કલ્પના માત્ર છે. કર્તુત્વની અહંવૃત્તિ ધારણ કરવાથી આત્માની શુદ્ધતા થતી નથી તેમજ કઈ પણ કાર્યના કર્તાપણાનું અભિમાન રાખવું એ કોઈ પણ રીતે સિદ્ધ થતું નથી. પ્રત્યેક કાર્ય પોતાના સ્વભાવ પ્રમાણે કાલા' સ્વભાવ, નિયતિ આદિને પામી થયા કરે છે, તેમાં આત્મા તે બાહ્ય કાર્યમા નિમિત્ત માત્ર છે અને તેમજ અન્ય વસ્તુઓ પણ નિમિત્ત માત્ર છે, માટે કર્તુત્વસંમેહ કરે કોઈને છાજતો નથી તે મારે શા માટે મેહ કરવો જોઈએ ? કર્તૃત્વસંમેહ તે આત્માને ધર્મ નથી તે તે વિભાવિપરિણતિ છે તેથી દૂર રહેવું જોઈએ. એ પ્રમાણે જ્ઞાની અન્તરમાં નિશ્ચય કરીને કર્તવસમેહવૃત્તિ વિના સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિને સેવે છે. જ્ઞાની વાત્માને જ્ઞાનદર્શનચારિત્રરૂપ માનીને શુદ્ધીપગવો અન્તરમા ધ્યાનાદિકની પ્રવૃત્તિને સેવે છે અને વ્યવહાર નયથી બાહ્ય ધાર્મિક તથા વ્યાવહારિક કની પ્રવૃત્તિને સેવે છે. આત્મા ખરેખર જ્ઞાનદર્શનચારિત્રરૂપ છે, શુદ્ધીપગવડે આત્માને શુદ્ધ ધર્મ તે જ આત્માનો છે એમ આત્મજ્ઞાની - માને છે અને તેમાં રમણતા કરે છે. તથા બાહ્યતઃ પ્રાસાધિકાને બાદ કર્તવ્ય કાર્યો તટસ્થ સાક્ષીભૂત થઈને કરે છે. આત્મજ્ઞાની આવી દશાથી. કર્તવ્ય કાર્યો કરે છે, તેથી તે આત્માની ઉન્નતિ કરી શકે છે અને વિશ્વવર્તિ મનુષ્યની અન્ય કરતાં અનન્ત ગુણ સારી ઉન્નતિ કરી શકે છે તેથી તે જ પરમાર્થ દષ્ટિએ કર્તવ્ય કાર્ય કરવાને લાયક બને છે. એવા મહાજ્ઞાનીકળીઓની જેટલી ન્યૂનતા તેટલી વિન્નતિની ન્યૂનતા અવધવી જ્ઞાની શુદ્ધોપગવડે આવશ્યક પ્રાપ્ત કર્તવ્ય કાર્ચને સમાચારે છે તેથી તે આત્માના ગુણોની પરિપૂર્ણ પ્રગતિ કરવામાં ખામી. આવવા દેતા નથી અને કર્તવ્ય કાર્યો કરીને પ્રાપ્ત ગુણેનીપરિપકવતા કરવામાં પણ કદાપિ પશ્ચાતું રહેતું નથી. પ્રારબ્ધ કર્મથી અને સ્વાધિકારવશથી પ્રાપ્ત થએલ કર્તવ્ય કાર્ય કરવામાં કઈ જાતનો દોષ નથી, પરન્તુ અનન્તગુણલા છે એવું અવબોધીને જ્ઞાની કર્તયકાર્યને આચરે છે. જ્ઞાની પ્રારબ્ધ કર્મથી જે જે કાર્યો કરે છે તે વપરની પ્રગતિ કરનાર થઈ પડે છે તથા સ્વાધિકારવશથી જે જે કાર્યો કરે છે. તેમાસદેષતા હાય તથાપિ તેની અધિકાર દિશાએ નિર્દોષતા અને સ્વપરની ઉતિ કરનારું તે કાર્ય હાઈ વિશ્વમાં તે સુખપ્રદ સિદ્ધ કરી શકે છે.-વિષ્ણુકુમાર મુનિએ સ્વાધિકારવશત જે નમુચિ પ્રધાનને શાસનરૂપ કાર્ય કર્યું તે વિશ્વની ઉન્નતિ અને સંઘને શાન્તિ કરનારું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy