SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ કાયાની ઉન્નતિ કેવી રીતે થાય ? (૪૭૫) નિરીક્ષી નહિ. મૃત્યુના ભયથી મનને સ્વસાધ્ય કાર્યમાં રાખીને અત્રે હું આવી શકશે. રાજાએ નાસ્તિકને કહ્યું કે--અરે નાસ્તિક ! જે તું એતાવન્માત્ર મૃત્યુભીતિથી મન સ્થિર રાખીને સેપેલું કાર્ય કરી શકે તે જેઓએ અનન્ત જન્મમરણથી ભય પામી ચારિત્ર અંગીકાર કર્યું છે તેઓ કેમ વિષને જીતી ન શકે અને મનને ધર્મમાં કેમ લયલીન ન કરી શકે? અર્થાત્ અનન્ત મૃત્યુ દુખમાંથી વિમુક્ત થવાને તેઓ વિષને જીતી મનને વશ કરી શકે છે. અભ્યાસબળથી મનને જીતી શકાય છે. આ પ્રમાણે રાજાના યુક્તિયુક્ત સદુપદેશથી નાસ્તિકની મતિ ઠેકાણે આવી અને તે રાજાને કર્થવા લાગ્યો કે હે રાજન ! તમારા ઉપદેશથી અને મેં કરેલા કાર્યથી અનુભવ થાય છે કે સાધુઓ દશ્ય રમણીય વિષયમાં મનને ન જવા દે અને મનને વશ કરી શકે જ. મારી થએલી ભૂલ કબૂલ કરીને આજથી હું આસ્તિક બકું છું. આ ઉપરથી સારાશ લેવાને એ છે કે જે કાર્ય સાધ્યભૂત ગણેલું હોય છે તેના ઉપગમાં રહેવાથી તે કર્તવ્ય કાર્યની પેલા નાસ્તિકને રાજાએ પેલા કાર્યની પેઠે સિદ્ધિ કરી શકાય છે. કાર્યસાપગથી પ્રત્યેક મનુષ્ય લૌકિક અને લકત્તર આવશ્યક કાર્ય કરવું જોઈએ. લૌકિક વ્યવહાર અને લોકેત્તર વ્યવહારે જે કર્તવ્ય કાર્ય કરવાથી ન્નતિ થાય તે કાર્ય કરવું જોઈએ. જે કાર્યથી સ્વાભેન્નતિ અને પતિ ન થતી હોય તેને કરવાની જરૂર નથી. જે જે સ્વાત્માવતે કાર્યો કરવામાં આવતાં હોય તેથી ન્નતિ થાય છે કે કેમ ? તેને વિચાર કર જોઈએ. દેશોન્નતિ, વિદ્યોતિ, ક્ષાત્રકર્મોન્નતિ, વૈશ્યકર્મોન્નતિ, શુક્મન્નતિ અને સમષ્ટિની ઉન્નતિ તેની સાથે વ્યાવહારિક આત્મોન્નતિને સંબંધ રહેલો છે અને વ્યાવહારિક આત્મોન્નતિની સાથે આધ્યાત્મિક નૈશ્ચયિક ઉન્નતિને સંબંધ રહે છે કાયિકેન્નતિની સાથે વાચિકેન્નતિ અને માનસિકેન્નતિને સંબંધ રહે છે. કાચિકેતિ વિના માનસિકેન્નિતિ થવાની નથી. કાયા અને મનને ઘણે નિકટને સંબંધ છે. કાયાની શક્તિ અને મનની શક્તિને પરસ્પર આસન્ન સંબંધ છે કાયાની આરોગ્યતા માટે હવા પાણી અને કસરત એ ત્રણની અત્યંત જરૂર છે જે મનુષ્ય કાયિકેન્નતિની કિંમત સમજી શકતો નથી તે માનસિકેન્નતિની કિંમત સમજી શકતું નથી કાયા મન વાણી અને આત્મા આ ચાર વસ્તુઓને મનુષ્ય કહેવાય છે તેથી એ ચારેની ઉન્નતિ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય નિયમિત આહાર નિયમિત કાર્ય કરવાની પ્રવૃત્તિ અને વિદ્યાતિ એ ચાચ્છી કાયાની ઉન્નતિ થાય છે. કસરતાદિથી કાયાની શકિત ખીલવવાથી મનથી નિર્બળતા દર થાય છે અને મનની આરોગ્યતા તથા પુષ્ટિ કરી શકાય છેમાનસિક કેળવણીની પ્રગતિ કરવામા કાયાની આરોગ્યતા અને દઢતા વિના એક કાણુ માત્ર ચાલી શકવાનું નથી. મનના દઢ સંકલ્પથી અને મનન કરવાની શક્તિથી માનસિક પ્રગતિ થાય છે અને માનસિક પ્રગતિની વૃદ્ધિ થતાં આત્માને જ્ઞાનાદિ ગુવાની શક્તિની વૃદ્ધિ કરી શકાય છે.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy