SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - T - - - - - - - - - - - - (૪૩૦ ) શ્રી કમગ થંચ-સચિન. ઉપગ્રહ દઈને પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ સેવાધર્મના દેવાદાર છે. અત એવ તેઓએ અન્ય જીવોને ઉપગ્રહ દીધા વિના રહેવું ન જોઈએ, કારણ કે તેમાં અનેક જીવોના ઉપકારતળે દબાયલા છે, માટે તેઓએ અભિમાનથી ઓદ્ધત્ય વાછવ્વાદિ ધાણુ કરીને પિતાની જાતને ન લજવવી જોઈએ પશુ પક્ષી વગેરે સર્વ પ્રાણીઓના ઉપગ્રહથી આશ્રિત થએલ મનુષ્ય જાત છે માટે સર્વ જનેએ પશુ પક્ષી વગેરે પ્રાણીઓના સંરક્ષ| ઉપગ્રહ કરવા તત્પર થવું જોઈએ. જેઓ અન્યજીના ઉપગ્રહથી પુષ્ટ થઈને અન્યછના નાશાથે સ્વશક્તિનો ઉપયોગ કરે છે, તેઓના એવા અપકૃત્યથી વિશ્વમાં અનેક મહાત્માતે થાય છેએમ પાપની ગુણલીલાનું માહાસ્ય પ્રાણ કરીને જણાવે છે. અન્ય જીવોના ઉપગ્રહથી જીવનાર છએ હું અને મહારૂં એવું મેહનું નાટક ન કરવું જોઈએ. અન્યજીના ઉપગ્રહને અનંતવાર ભૂતકાલમાં ગ્રહણ કર્યા, વર્તમાનમાં અનેક જીવોના અનેક ઉપગ્રહ ગ્રહણ કરાય છે અને ભવિષ્યમાં અનેક જીના અનેક ઉપગ્રહથી યુક્ત થવું પડશે. એવી સર્વ જીવોની સ્થિતિ હેવાથી વાસ્તવિક પરોપકારષ્ટિથી અવલોકતાં સ્વામિભાવ ખરેખર જગત્મા ઘટી શકતા નથી. દુનિયામાં ઉપગ્રહનાં લેણ દેણુને વ્યવહાર સર્વને સેવ પડે છે; ઉપગ્રહનું દેવું ચૂકવ્યા વિના છૂટકે થવાનું નથી. અન્ય પાસેથી ઉપગ્રહો નહિ લેવાની ઈચ્છા છતાં આવશ્યક ઉપયોગી ઉપગ્રહ સ્વભાવે લીધા વિના : છૂટકે થતા નથી. તથૈવ ઉપગ્રહને દીધા વિના પણ છૂટકે થતું નથી. જ્યાં સુધી આત્માની સાથે કર્મ છે ત્યા સુધી ઉપગ્રહને લેણદેણ સંબંધ વર્યા કરે છે. અત એવ દશ દૃષ્ટાતે દુર્લભ મનુષ્યજન્મ પામીને મનુષ્યએ વિવેકદ્રષ્ટિથી સર્વ જીવોને જે જે ઉપગ્રહો દેવા ઘટે તેનું સત્ય નિરીક્ષણ કરીને સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક ઉપકારમાં પ્રવૃત્ત થવું; સર્વ જીવોને પરસ્પરોપગ્રહ છે. તે મનુષ્ય ! હારી શક્તિ પ્રમાણે જગતની સેવા પ્રત્યુપકારાર્થે તુ તારા પ્રાણુ બધુઓને મન વાણી અને કાયાદિથી ઉપગ્રહ કર. વ્યવહારનયથી વિવેકદૃષ્ટિએ નિરવા પોપકારની મુખ્યતાએ બહુ લાભ અને અલ્પહાનિ વગેરેને વિચાર કરીને ઉપગ્રહમાં કર્માધિકાર પ્રમાણે પ્રવૃત્ત થા. જગતનું આનુભવિક સજીવન સુત્ર પરસ્પર ઉપકાર કર તે જ છે. હે આત્મન ! તુ જે કર્મ કેટી પર હોય અથત તું જે સ્થિતિ પર રહી જે પ્રવૃત્તિ કરતે હોય તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરને દ્રવ્ય એને ભાવ પરોપકાર કરવામા ઉપદેશાદિ પ્રવૃત્તિને સેવ !! હારા શરીરમાં જે પરમાશુઓના છે પરસ્પર ભેગા થયા છે તેના વડે વપરાપગ્રહભાવને સાધી લે અને દુનિચાને શાશ્વત સુખપ્રદ પાકાર કરવા માટે જાગ્રત કર. મુનિને મુનિના અધિકાર પ્રમાણે ઉપગ્રહને અધિકાર છે અને ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ઉપગ્રહ' અર્થાત્ પરેપકાર કરવાનો અધિકાર છે. નૈગમન સંગ્રહનય વ્યવહારનય જુસૂત્રનેય શબ્દનય સમઢિય અને એવભૂતનયથી ઉપગ્રહનું સ્વરૂપે અવબોધવું જોઈએ સાત નથી ઉપ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy