SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - . - - - - - - - - - - - - - - - - - - ( ૩૫૮ ) શ્રી કાગ અંચ-સવિવેચન. તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કર્તવ્ય વિચારો અને આચારોમાં અનંત ગુણ વિશુદ્ધિ પ્રગટે છે. લગોટીવાળા મહાત્માની પેઠે ભૂતકાળનાં કાર્યોની યાદી કરવાથી સ્વભૂલી યાદી આવે છે અને તેથી વર્તમાનમાં તેની ભૂલે કર્યા વિના ચેતીને ચાલી શકાય છે. એક વિદ્વાન બ્રાહ્મણ હતા. તેને સંન્યાસ ગ્રહવાની ઇરછા થઈ. તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તે નદીના કાઠે વિચરવા લાગે. ચેમાસાને કાલ આવ્યું ત્યારે તેના મનમાં એવી ઈરછા થઈ કે નદીના કાઠે કઈ ખંડમા ગુફા હોય ત્યા રહેવું. એક ગામ પાસે નદીના કાંઠે ગામથી છેડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યો અને પ્રાણાયામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યું. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થ આવી દર્શન કરવા લાગ્યા. સંન્યાસી મહારાજની ગામમા લેકે સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુરૂષે દર્શન કરીને વાત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂએ સંન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લગેટી પહેરવાનું કહ્યું. સંન્યાસીએ પુરૂષેના અત્યંતાગ્રહથી લોકોએ આપેલી એક લંગોટી ધારણ કરી. સંન્યાસીને ગામના લેકે પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કઈ કઈ વખત ગામના લોકો દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંચાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સંન્યાસી મહારાજ જે લંગોટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં એક ઠેકાણે મૂકતા હતા તેને મૂષકે કાતરવા લાગ્યા તેથી દરાજ લગેટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણે કહેવા લાગ્યા કે સન્યાસી મહારાજની લગેટીને દરરોજ ઉંદરો -કાતરી કાપી નાખે છે માટે એક બિડાલના બરચાને અન્ન રાખ્યું હોય તે તેથી લગોટી કાતરી ખાવાની ઉપાધિ ટળે આ પ્રમાણે બ્રાહ્મણોએ વિચાર કરીને ગામમાંથી એક બિલાડીનું બચુ લાવીને ત્યાં મૂકયું. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉં મ્યાઉ કરતું ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉં કરતું ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું. મહાત્માને તેના ઉપર દયા આવી. આર્યાવર્તમા દયાએ સદાકાલને માટે આર્યોના હૃદયમાં વાસ કર્યો છે તે પશ્ચાત્ તે મહાત્માના હૃદયમા હેય એમા તે આશ્ચર્યજ શું? સંન્યાસી મહાત્માને પિતાના આત્મા કરતા બીલાડીના બચ્ચાની ખાતર દયા કરવાની હદયમા ચિન્તા પેઠી તેથી પિતાના ભક્તોની પાસે બિલાડીના બચ્ચાને દુધ પાવાની બેઠવણું કરાવવી પડી. મહાત્માના ભક્ત પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દુધ લાવવા લાગ્યા, પરંતુ ગૃહસ્થ ભકતના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા તેથી મહાત્મા અને બિલાડીના બચ્ચાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી ક્ષુધા-સહન કરી શકતા હતા અને ઇને કંઈ પણ કહેતા હતા. પરંતુ બિલાડીનું બચ્ચું તે મ્યાઉ મ્યાઉ કરી આખી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy