SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - -- આત્મજ્ઞાનથી જ મુક્તિ. (૨૪૭) દયા છે તેનું હદય પ્રભુરૂપ છે અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવધવું. જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરે છે તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. ધમર્થ કેઈનું રત રેડવાનું કેઈના પ્રાણ લેવાનું જે ધર્મશાસ્ત્રો ફરમાન કરે છે તે અધર્મશાસ્ત્રો છે કારણકે અનંત દયાવાન સર્વજ્ઞ પરમાત્મા દેવ કદાપિ અન્યાયી અધચ્ચે હિંસાને ઉપદેશ આપે જ નહિ. અતએ ભવ્ય મનુષ્યએ દયા અને યતનાપૂર્વક સ્વસ્વાધિકારે વ્યાવહારિક તથા ધાર્મિકર્મચાગમાં પ્રવૃત્ત થવું જોઈએ. દયા સત્ય અસ્તેય અને પ્રામાણ્યથી ગૃહસ્થોએ ગૃહસ્થ ધર્માનુસારે અને મુનિવરેએ મુનિધર્માનુસારે આત્મજ્ઞાનપૂર્વક નિર્લેપરીત્યા કર્મચેગને આદર જોઈએ. મુનિવરેએ સ્વધર્માનુસાર ધર્મકર્મ ચાગપ્રવૃત્તિ કરતાં આત્મસમાધિમાં સ્થિર થવું જોઈએ. આત્માને પરમાત્મારૂપ જાણો અને દેખો એ ખાસ સાધ્યબિંદુ ગમે તે દશામાં વિસ્મરવું ન જોઈએ. આત્મારૂપ પરમાત્માના સ્મરણમનનથી ઉત્તરોત્તર પરમાત્મસ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર વધતું જાય છે. નાનાવમાં આત્મજ્ઞાન મહિમા સંબંધી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે. जानाति यः स्वयं स्वस्मिन्स्वस्वरूपं गतभ्रमः। तदेवतस्यविज्ञानं तद्वृत्तं तश्च दर्शनम् ॥ મહાત્મા સ્વયં પિતાના આત્મામાં ગતભ્રમ થઈ સ્વસ્વરૂપને જાણે છે તે જ તેનું વિનાસ છે. આત્માને અવબોધ્યા વિનાનું જે વ્યાવહારિકષ્ટિએ વિજ્ઞાન ગણાય છે તે દ્રવ્ય વિજ્ઞાન છે અને આત્માના સ્વરૂપને અવધવું તે ભાવ વિજ્ઞાન છે. આત્માના ભાવવિજ્ઞાનથી રાગદ્વેષની ઘનવાસનાની ગ્રન્થિને નાશ થાય છે. સ્વમાં સ્વનું જાણવું તેજ સત્ય વિજ્ઞાન છે તેજ તેનું વિજ્ઞાન અને તેજ ચારિત્ર તથા તેજ દર્શન અવધવું. બંધ મોક્ષનો વિવેક કરાવનાર આત્મજ્ઞાન છે. કચ્યું છે કે સ્વનાવ કુરિાઃ ચી=મઘતત smશા एतदेव जिनोद्दिष्ट सर्वस्वं चंधमोक्षयोः॥ આત્મજ્ઞાનથી મુક્તિ થાય છે, અન્યથા જન્મબંધની પરંપરા પ્રવર્યા કરે છે એજ જિનેષ્ટિ બંધ મક્ષનું સર્વરવ છે. તત્સંબંધી વિશેષ વર્ણવતા લખે છે કે– अयमात्मैवसिद्धात्मास्वशक्त्याऽपेक्षयास्वयम् । व्यक्तीमवतिसध्यान वन्हिनात्यन्तसाधितः ॥ एतदेव परं तत्त्वं ज्ञानमेतद्धि शाश्वतम् । अतोऽन्यो यः श्रुतः स्कन्धः सतदर्थ प्रपशितः॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy