SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગથી ફાયદા. ( ૧૫ ) આગળથી રાજાનું સૈન્ય ચાલ્યું ગયું તે પણ તેની ખબર તેને પડી નહિ એવી તેની અનન્યચિત્તતાથી તે ઝીણી કારીગરી કરવાની સ્વપ્રવૃત્તિમા વિર્ય પામ્યો અને તેનું દૃષ્ટાંત સર્વ લેકેને ગ્રહણ કરવા યોગ્ય થયું. શ્રી વીરપ્રભુએ દ્વાદશ વર્ષ પર્યન્ત આત્મધ્યાનમાં ચિત્ત રાખ્યું અને કેવલજ્ઞાન પ્રકટાવ્યું. જે જે કાર્યો કરવાના હાથમાં લીધા હોય તે તે કાને સંયમ કરવું જોઈએ અર્થાત્ તે કાર્યોમા ચિત્તને રમાવીને તલ્લીન બનાવવું જોઈએ. બાહ્ય સાર્વજનિક વિશ્વોપયોગી અને સર્વોપયોગી કાર્યોમાં તન્મય બની જવું જોઈએ અર્થાત તે તે કાર્યોનો ઉપયોગ રાખવું જોઈએ કાર્યપ્રવૃત્તિમા અનન્ય ચિત્તવાળા થવાથી કર્તવ્ય કાર્યોને ચારે તરફથી ઉપયોગ રહે છે અને તત્સંબંધી કાર્મણકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક શેધો કરી શકાય છે. એડીસન શેધક અને દાક્તર બોઝ જેવા શેધકે સ્વીકાર્યમાં અનન્ય ચિત્તવાળા બનીને વિશ્વમાં અનેક પ્રકારની શોધ કરી રહ્યા છે. કર્તવ્ય કાર્યમાં એકમના થયા વિના તે કાર્યની સિદ્ધિમા અનેક પ્રકારના વિક્ષેપ નડે છે. કર્તવ્ય કાર્ય સંબંધી ઉપયોગ ખીલ હોય તે કર્તવ્ય કાર્યમા ચિત્ત રાખીને અન્ય બાબતેના વિકલ્પ અને સંકલ્પને ત્યાગ કરવો જોઈએ. એક પાદરીના હસ્તથી લખાયેલું ને પલીયન બોનાપાર્ટીનું જીવનચરિત છે તેમાં લખ્યું છે કે નેપોલીયન બોનાપાર્ટ જે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે કાર્યને ઉપયોગી બની જતે. નેપેલીયન ચાલતી લડાઈએ તે જે કાર્યમાં પ્રવૃત્ત થતું હતું તેમા એકમના બની જતો હતે. જ્યારે તે ખાવા બેસતું હતું ત્યારે ખાવાના વિચાર વિના અન્ય બાબતના વિકલ્પસંક ને કરતે નહતું. જ્યારે ઉંઘવાના વખતે ઉંઘતે ત્યારે સર્વના દેખતા તુર્ત ઉંઘી જાતે અને જાગવાના ટાઈમે તુર્ત જાગી જતું. જ્યારે તે જે જે કાર્ય કરતા તે વિના અન્ય બાબતમાં ઉપયોગ દેતો નહતો, તેથી તે ક્ષાત્રવીર કર્મયોગી કહેવાયો કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જે કાર્યની પ્રવૃત્તિમાં યોજાતા, તેને ઉપયોગ રાખીને અન્ય બાબતોના વિકલ્પસંકલ્પને કરતા નહતા. એવી તેમની કાર્યપ્રવૃત્તિમા અનન્ય ચિત્તવૃત્તિ હોવાથી તેઓ અનેક ગ્રન્થ રચવાને શક્તિમાન થયા હતા. રાધાવેધસાધકે સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગ રાખીને અન્ય વસ્તુ સંબંધી વિકલ્પસંકને કરતા નથી તેથી તેઓ સ્વકાર્યમાં વિજય મેળવી શકે છે. વિદ્યાથી જે જે બાબતે વિદ્યાભ્યાસ કરે છે તેમા એકમના બનીને અન્ય કાર્યના વિચારોના વિકલ્પ અને સંકલ્પને ત્યાગ કરે છે તે તે વિદ્યાધ્યયનમા વિજય મેળવી શકે છે, અન્યથા નાપાસ થાય છે. યોગી પિતાની જે જે યોગ પ્રવૃત્તિયોને આદરે છે તેમાં જે કાળે જે ક્ષેત્રે જે પ્રવૃત્તિ સેવે છે તેને પરિપૂર્ણ ઉપયોગ ધારણ કરે છે તે યોગપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકે છે અને તે જે સ્વકાર્ય પ્રવૃત્તિ અન્ય વિકલ્પસંકલ્પને સેવે છે તે તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શક્તા નથી શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ R૦
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy