SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્યમી સર્વ કંઇ કરી શકે. (૧૨૩). જ્ઞાતા હોય છે તે સ્વાધિકારે કર્તવ્યોને સાધી શકે છે. જે મનુષ્ય કાર્યને પરિત. જ્ઞાતા હેઈ ઉદ્યમમાં મચ્ચે રહે છે તે અને કાર્યની સિદ્ધિ કરી શકે છે. કાર્યને પરિત જ્ઞાતા વિવેકી મનુષ્ય સતત ઉદ્યમવડે કાર્યને સિદ્ધ કરવામા ઢાપિ પશ્ચાત રહેતો નથી. જે જે કાર્યપ્રવૃત્તિનું ચારે બાજુઓનું સ્વરૂપ અવબોધવામાં આવે છે તે તે કાર્યપ્રવૃત્તિને સેવવામાં ખરેખર ચોગ્ય અધિકારી બની શકાય છે. ચારે બાજુએથી અનેક હેતુપૂર્વક જે કાર્ય કરવાનું હોય છે તેને ચારે બાજુએથી નિર્ણય કરવામાં આવે છે તે તત્સંબંધી ઉદ્યમ કરવામાં આત્મશક્તિને ઉદ્યસિત કરવામા આવે છે. નેપોલીયને જ્યા સુધી યુદ્ધકાર્યની ચારે બાજુઓનું જ્ઞાન કરી ઉદ્યમ કર્યો ત્યાં સુધી તે વિજ્ય પામે એમ તેના ચરિત્રથી સમજાય છે. કાર્ય કરવામાં ઉદ્યમ એ મહાન મંત્ર છે, બહુ બોલવાથી કંઈ વળતું નથી. આત્મશક્તિ વડે કાર્યપ્રવૃત્તિને આદરવામાં કાર્ય સાધકત્વ પરીક્ષા છે. ઉદ્યમવડે કાર્ય સિદ્ધિ થાય છે એવું અવધી સદા ઉદ્યમી બનવું એ કાર્ય કરવાને માટે ઉપયોગી સૂચના છે. કાર્ય કરવામાં માનસિક-વાચિક-કાયિક અને સાહાયક શકિતવડે જે સદા ઉદ્યોગી રહે છે તેજ કઈ પણ કાર્ય કરવાને અધિકારી બને છે. કદાપિ કાલે કેઈપણ મનુષ્ય રાષ્ટ્રીયભાવના, ક્ષાત્રકર્મપ્રગતિ, વિદ્યાબલ પ્રગતિ–સાયન્સ (વિજ્ઞાન), વ્યાપારકલાપ્રવૃત્તિ પ્રગતિ અને સામાજિક સેવાધર્મના ઉપાની પ્રવૃત્તિ વગેરે તથા ધાર્મિક રાષ્ટતંત્રપ્રગતિ, સંઘબલૈયપ્રગતિ, ધર્મવ્યવસ્થાવર્ધક સુજના પ્રબંધ પ્રગતિ, ધાર્મિક ભાવના બલ પ્રગતિ, અને ધર્મકર્મની અનેક પ્રકારની પ્રગતિમાં ઉદ્યમ કર્યા વિના વિજયી બનવાને નથી. આત્મશ્રદ્ધા અને પરિપૂત્સાહપૂર્વક જે મનુષ્ય સદા વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને ઉદ્યમ કરે છે તે આત્મન્નિતિના ઉચ્ચ શિખરે આરેઠી પરમ વિજયને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મનુષ્ય સ્વકાર્યમાં સદા ઉદ્યમ કર્યા કરે છે ત્યા સુધી તેની પાછળ પાછળ વિજયલક્ષમી-સિદ્ધિચે ગમન ક્યાં કરે છે. અએવ કદાપિ કાળે હતાશ થઈને ઉદ્યમને ત્યાગ ન કરવો જોઈએ. મહાત્માઓ સહુન્ન વાર નાસીપાસ થયા છતા પણ ઉદ્યમને ત્યાગ ન કરે એમ પ્રબંધે છે કાર્યસિદ્ધિને ઉદ્યમ સેવતા સહુન્ન વિપત્તિ સહવી પડે છે અને કઈ વખતે એમ પણ લાગે છે કે હવે તે ઉદ્યમ સેવતાં પણ પરાજય થ-ઈત્યાદિ પ્રસંગે પણ મહાત્માઓ કર્મને અનુભવ કરીને જpવે છે કેમનુષ્ય તું સ્વકાર્યને ઉદ્યમ કર્યા કર. ત્યા સુધી કાર્ય કરવાને ત્યારે અધિકાર છે ત્યાં સુધી તું ઉધમ કર્યા કર. કાર્યમા સદા ઉદ્યમી બનતા દૈવી શક્તિની તને સાડાચ્ચ મળશે અને તેથી તું કાર્યસિદ્ધિના વિજ્યની પાસે જઈ. કશ્યસારાંશ એ છે કે કાર્યનો પરિત જ્ઞાતા એ સઘમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવા કર્યો કરી શકે છે. કાર્યમાં સદા ઉદ્યમી બનતા પરિણામિકી બુદ્ધિ ઉપજે છે અને તેથી તે કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના ઉપાયે સુઝી આવે છે. કાર્યની સિદ્ધિમાં દેદ્યમી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy