SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ .. . - - - - -- - - -- -- - -- - --- - ---- -- --- -- - ( ૯૮ ) શ્રી કર્મગ પ્રથ-સવિવેચન.. બાવા શીતળદાસની પેઠે થઈ જાય છે, માટે ભાવ પ્રત્યાખ્યાનને સાધ્યરૂપ ગણુ દ્રવ્ય પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સાત નય અને ચાર નિક્ષેપાથી પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવું જોઈએ મન અને ઈન્દ્રિયે પર કાબૂ મેળવવાને માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા પ્રત્યાખ્યાન છે. દુર્ગુણાપર યે મેળવવા માટે પ્રત્યાખ્યાનની જરૂર છે. ગમે તે દેશમાઆવશ્યક ગમે તે દર્શનમાં ગમે તે રૂપાન્તરથી ગમે તે શબ્દપથી પ્રત્યાખ્યાનને અર્થ પ્રવર્તે છે એમ સૂમદષ્ટિથી વિચાર કરવામાં આવશે તે અમુકાશે તે વાત સત્ય જણાશે. ઈચ્છાઓ ઉપર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતાને વિદ્વાને સ્વીકારે છે. પ્રત્યાખ્યાન આવશ્યક સ્વીકાર્યા વિના છૂટકે નથી. આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી અને સલેપતાને ત્યાગ કરવો એ ભાવ પ્રત્યાખ્યાન છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે એ પ્રત્યાખ્યાન છે. પરભાવરમણતા ત્યાગરૂપ પ્રત્યાખ્યાન અવબોધવું. જે જે અંશે આહારાદિકનો ત્યાગ ભાવ તે તે અંશે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને જે જે અંશે ઈચ્છા વાસનાનો ત્યાગ તે તે અંશે ભાવ પ્રત્યાખ્યાન છે. પડાવશ્યક દરરોજ કરવા જોઈએ દુનિયામાં ષટ ધાર્મિક આવશ્યક ફેલાવો કરવાથી મનુષ્યના આચારો અને વિચારેની ઉત્તમતા થાય એમા કંઈ આશ્ચર્ય નથી. ષડાવશ્યક ભાવાર્થ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને તેના રૂપે આત્માનું પરિણમન કરવાની જરૂર છે. તદ્ધતુ અને અમૃત કિયાવડે પડાવશ્યકની સાધના કરવાથી અનેક કુવિચારો અને અશુભાચારને નાશ થાય છે. દરેક આવશ્યક સંબંધી પિતાને આત્મા કેવી પ્રવૃત્તિ કરે છે તેને વિચાર કરીને જે જે ભૂલે થતી હોય તેનો પરિહાર કરવો જોઈએ. અનેક આગમને અભ્યાસ કરીને છ આવશ્યકની આરાધના કરવી જોઈએ. છ આવશ્યક એ સત્ય સં યા છે મનુષ્યએ પ્રાત કાલે અને સંધ્યાકાલે ષડાવશ્યકરૂપ સંધ્યા કરવી જોઈએ રાગદ્વેષને જીતવાને ઉઠેલા મનુષ્યને આવી સંધ્યા કરણીય છે. છ આવશ્યકવડે પિતાની શુદ્ધતા પ્રગટ કરવા પ્રયત્ન કરે જોઈએ. ષડાવશ્યકને અર્થ સમજીને વાસ્તવિક રીતે ષડાવશ્યક કરવામા આવે તે પિતાની જિંદગી સુધરી જાય અને તેને અનુભવ પિતાને આવ્યા વિના રહે નહિ. જ્ઞાનીઓ અનુભવ કરીને તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધી શકે છે. લેકાર ભાવાવશ્યકનું સ્વરૂપ કહ્યું છે તેને વિદ્વાનોએ પરિપૂર્ણ વિચાર કરીને તમને તો તન્મય થઈ તે વેશ્યાવાળા થઈ–ભાવાવશ્યકની આરાધના કરવી. દ્રવ્ય તે ભાવને પ્રગટ કરવા માટે છે. ભાવાવશ્યકને પ્રગટાવે તે દ્રવ્યાવશ્યક અવધવું અને જે ભાવાવશ્યકને પ્રગટાવે નહિ તે દ્રવ્યાવશ્યક ગણાય નહિ આવશ્યકના ઉદેશ અને સમુદેશ વિચારે મનન કરવા યોગ્ય અને આચરવા ગ્ય છે. ગાડરીયા પ્રવાહની પેઠે જેઓ ષડાવશ્યકને સમજ્યા વિના શબ્દમાત્રથી કરણ કરી જતા હોય તેઓને વાસ્તવિક આવશ્યકની આરાધના સન્મુખ કરવા તેમની ઓઘ શ્રદ્ધાને નાશ ન કરતા તેઓને આવશ્યકના ખરા પરમાર્થ સમ્મુખ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy