SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અમદશામાં આવવું તે પ્રતિક્રમણ છે. ભરઉંઘની પેઠે દુનિયાની વિકલ્પ જંજાળ ભૂલી જવાય અને આત્માના શુદ્ધોપગે આત્મસ્વરૂપમાં લીન થવાથી આત્માનન્દના ઉભરા પ્રગટે એટલે સમજવું કે ઉચ્ચકોટીનું પ્રતિક્રમણ ખરેખર આત્મામાં પ્રગટયું છે. આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ મહાવિદેહક્ષેત્રમાં શુદ્ધોપગે સ્થિરતાપ જન્મ લેઈને આત્માની શુદ્ધતારૂ૫ સીમંધર પ્રભુને ભેટવા એ પ્રતિકમણુનું આધ્યાત્મિક સ્વરૂક્ષ છે. માયા અર્થાત મહના પ્રદેશમાં પાછા ફરીને આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્વાભાવિક ધર્મો વસવું એવું પ્રતિક્રમણ કરવા દરરોજ અભ્યાસ પાડે. દુઃખને આપનારી નામકીર્તિ રૂપની અહંવૃત્તિ આદિ અનેક પ્રકારની વાસનાઓથી પાછા ફરીને મનુષ્યોએ આત્માના સહજ સુખ તરફ ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરીને જીવનની સફલતા કરવી જોઈએ. અશુભ સંયોગે પ્રાપ્ત થયા છતા અને વિપત્તિઓ પડતાં છતા તથા શાતાના સંગે પ્રાપ્ત થયા છતા મનને ચંચળ ન થવા દેવું અને કદાપિ ચંચળ થાય તે મનને આત્મામાં સ્થિર કરવું એવું પ્રતિક્રમણનું રહસ્ય છે તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ક્ષમાભાવમાં મસ્ત થઈને "खासेमि सबजीवे, सवेजीवा खमंतु मे, मित्ति मे सञ्चभूएसु, वेर मज्झं न केणइ" ઈત્યાદિથી સર્વ જીવોને ખમાવ, કેઈની સાથે વૈર ન ધારણ કર, સર્વ અને આત્મદ્રષ્ટિથી દેખ અને આત્માના આનંદમાં લયલીન થા. . જે મનુષ્ય પ્રતિક્રમણના અધિકારી થયા હોય છે તેઓ કાત્સર્ગના અધિકારી થાય છે. પ્રતિક્રમણરૂપ આત્મપરિણામ અને પ્રતિક્રમણરૂપ ધર્માચાર પ્રાપ્ત થતાં કાયાના ઉપરથી મમત્વ ઉતરે છે કાયાના ઉપરથી અહેમમત્વ ટળવું અને કાયાથી કાયોત્સર્ગ ભિન્ન એવા આત્માને ધ્યાવે તેને કાર્યોત્સર્ગ કહે છે. શરીરના અણુઅણુમાંથી આવશ્યક. નિર્મમત્વને પરિણામ ઉઠે છે ત્યારે આત્માની નિર્ભય દશાને ખ્યાલ આવે છે. શરીરમાં થતી અહંવૃત્તિને નાશ થવો તેમજ નામાદિ કીર્તિ વગેરે વાસનાએથી મુક્ત થવુ એજ કાર્યોત્સર્ગને મુખ્ય ઉદ્દેશ છે. આત્માથી ભિન્ન એવી કાયા લાગે અને તેના પરથી સમત્વ ઉતરે તથા આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં લયલીન થાય એજ કાર્યોત્સર્ગનું મૂળ રહસ્ય મનન કરવા ચોગ્ય તથા આદરવા ગ્ય છે. કાયા પરથી મસત્વ ઉતર્યા વિના આત્માનુ વીર્ય–વૈર્ય જાગ્રત થતુ નથી ગજસુકુમાલ અવંતી સુકમાલ અને મેતાર્ય મુનિ વગેરે મુનિએ કાયાપરથી મમત્વ ત્યાગ કરીને આત્મામાં સ્થિરતા લયલીનતારૂપ કાયોત્સર્ગ કર્યો હતો અને તેથી તેઓએ અન્તર્મુખપયોગથી સમતાભાવે ઉપસર્ગો સહીને આત્મામાં રહેલું અખડ શુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું કાયોત્સર્ગમાં ધ્યાનવડે અનેક મુનિયેએ અખંડાનન્દને પ્રાપ્ત કર્યો છે. કાયાનું મમત્વ પરિહરીને આત્માને આત્મરૂ યાવારૂપ કાર્યોત્સર્ગમા બાર વર્ષ અધિક કાળ પર્યત શ્રી વીર પ્રભુ રહ્યા હતા અને કોત્સર્ગભા રહી ધ્યાનબળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કાયોત્સર્ગમાં રહેવાથી આત્મળ .
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy