SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યાર પછી પુત્રજન્મને છઠઠે દિવસે પ્રભુના માતા પિતા રાત્રિએ કુલધર્મ પ્રમાણે જાગરણ મહોત્સવ a૧૫૭|||| કરે છે. એવી રીતે દરેક પ્રકારની કુલમર્યાદા કરતાં અગીયારમો દિવસ વ્યતિકાન્ત થતા અને નાલછે વિગેરે અશુચિ એવી જન્મક્રિયાઓ સમાપ્ત કર્યા બાદ, પુત્રજન્મના બારમે દિવસે પ્રભુનાં માતા પિતા પુષ્કળ અશન પાન ખાદિમ અને સ્વાદિમ, એ પ્રમાણે ચારે પ્રકારના આહાર તૈયાર કરાવે છે તૈયાર કરાવીને મિત્રો, જ્ઞાતિ એટલે પિતાની જાતિના મનુષ્ય, પુત્ર-પૌત્રાદિ સ્વકીય મનુષ્યો, સ્વજન એટલે પિત્રાઈઓ, પુત્રી પુત્રાદિના સસરા સાસુ વિગેરે સબધિઓ, દાસ-દાસ વગેરે પિતાના નોકર-ચાકર અને જ્ઞાનકુલના ક્ષત્રિયને ભજનને માટે આમંત્રણ કરે છે-નોતરુ આપે છે. આમત્રણ કરીને ત્યાર પછી પ્રભુના માતા પિતાએ સ્નાન ર્યું વળી તેઓએ શુ શુ કર્યું ? કરેલ છે બલિકર્મ એટલે ઈષ્ટદેવની પૂજા જેઓએ એવા, વિદ્યા વિનાશ માટે કર્યો છે તિલક વિગેરે કૌતુક તથા દહીં' છે અક્ષત વિગેરે મગલરૂપ પ્રાયશ્ચિત્તે જેઓએ એવા, વળી પ્રભુના માતા પિતા કેવા છે? સ્વચ્છ, જે પહેરીને ભોજનમાંડપમાં પ્રવેશ થઈ શકે એવાં, અને ઉત્સવાદિ મગલને સૂચવનારા, આવા પ્રકારનાં ઉત્તમ વસ્ત્રો પહેર્યા છે જેઓએ એવા, થેડી સ યાવાળા અને ઘણા કિમતી આભૂષણ વડે શોભાવેલા છે શરીર જેઓએ એવા, આવા પ્રકારના સિદ્ધાર્થ રાજા અને ત્રિશલારાણી થઈને જન સમયે ભેજનમ ૫માં આવીને ઉત્તમ આસન પર સુખપૂર્વક બેઠાં, અને ભેજનને માટે આમંત્રણ કરી લાવેલા તે મિત્ર, જ્ઞાતિના મનુષ્ય, પુત્ર પૌત્રાદિ સ્વકીય મનુ પિત્રાઈ કહ્યું ૧૪ A વિગેરે સ્વજન, પુત્ર-પુત્રાદિના સસરા સાસુ વિગેરે સ બ ધીઓ, દાસી દાસ વિગેરે પરિજને, અને જ્ઞાતકલના ક્ષત્રિય સાથે તે તૈયાર કરાવેલા એવા વિપુલ અશન પાન ખાદિમ અને સ્વાદિમને આસ્વાદન કરતા, એટલે | ૧૫ણા I
SR No.011546
Book TitleAgam 35 Chhed 02 Bruhatkalpa Sutra Bhashantar
Original Sutra AuthorN/A
AuthorSubodh Lalbhai Ahmedabad
PublisherSubodh Lalbhai Ahmedabad
Publication Year
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_kalpsutra
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy