SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦૭ આલોચના (૨) અનુમાનિત : ગુરુ પિતાને કઈ રીતે ઓછું પ્રાયશ્ચિત્ત આપશે એ વિશે પહેલાં અનુમાન કર્યા પછી જ સાધુ પોતાના અતિચારેની આલોચના કરે તે અનુમાનિત દેષ છે. પ્રાયશ્ચિત્તને. જુદા જુદા કેવા પ્રકારે છે એ વિશે પહેલાં ગુરુમહારાજને પૂછીને અને પિતાના એકાદ નાનકડા અતિચારની પ્રથમ આલેચન કરીને ગુરૂ શું પ્રાયશ્ચિત્ત આપે છે તે જોવું અને તે ઉપરથી અનુમાન કરીને પછી પેતાના કયા કયા અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવાનું પોતાને ફાવશે તેને વિચાર કર્યા પછી બાકીના કેટલાક અતિચારોનું પ્રાયશ્ચિત્ત લેવું તે અનુમાનિત દેષ છે. એ માટે શિષ્ય પોતે કઈક વખત. ઈરાદાપૂર્વક ગુરુને ખોટું કહે કે, “હે ગુરુમહારાજ ! મારી તબિયત બરાબર રહેતી નથી; મારું શરીર દુર્બળ બની. ગયું છે. મારી પાચનક્રિયા બગડી ગયેલી છે. મારાથી તપશ્ચર્યા થતી નથી. માટે આપ જે ડુંક હળવું પ્રાયત્તિ આપે તે હું મારા અતિચારોની આલેચના કરું.’ આમ કહીને, પ્રથમ ગુરુના મનનું અનુમાન કરીને પછી પિતાના અતિચારેની આલોચના કરે તો તેથી પણ “અનુમાનિત” પ્રકારનો દેષ થાય છે. (૩) યદુ-દષ્ટ : પિતાના જે દેશે બીજા કેટલાક લેકે જોઈ ગયા. છે તેની આલેચના લીધા વગર છૂટકે નથી, એમ સમજીને. જે શિષ્ય પિતાના ફક્ત બીજાએ જોયેલા દોષેની આલો–
SR No.011544
Book TitleJinatattva
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1985
Total Pages185
LanguageGujarati
Classification
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy