SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] ૬ ૫૪૮ : અહિચ્છના તે વખતે તેની પૂર્વ ભવની અણમાનીતી સ્ત્રી વ્યંતરી થઈ હતી તે જે બાજુ ગુરુ બેસે તે બાજુ ડુબાડવા લાગી. વચ્ચે બેસતાં આખી ડી ડૂબવા લાગી તેથી હેડીમાં બેઠેલા લોકોએ આચાર્યને પાણીમાં ફેકી દીધા. પેલી વ્યંતરીએ ફોધના આવેશમાં આવીને આચાર્યને પાણીમાં જ શૂળી ઉપર પરેવી ઊંચા કર્યા. આચાર્ય પિતાના શરીરને થતી પીડા તરફ જરા પણ ધ્યાન ન આપતાં પોતાના શરીરમાંથી ઝરતા રૂધિરથી થતી પાણીના છની વિરાધના હિંસા માટે પસ્તા કરવા લાગ્યા. શુભ ભાવના ભાવતાં ભાવતાં ત્યાં જ તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. અંતત કેવળી થઈને આયુષ્ય પૂર્ણ થયું હોવાથી તરત જ તેઓ મોક્ષે ગયા એટલે દેવેએ તેમના મોક્ષગમનનો મહત્સવ કર્યો ત્યાં વિશેષ પ્રકારે પૂજા-મહોત્સવ થવાથી તે સ્થાનનું નામ પ્રયાગ, ઘur re-gir #fસ ચા-પડયું. - જ્યાં અર્ણિકપુત્ર આચાર્યનું શરીર શૂળીમાં પરોવાયું હતું ત્યાં થયેલા તેમના મરણથી તેમનું સ્વર્ગગમન થવાને લીધે દેએ મહત્સવ કર્યો હતો એમ જાણું ગતાનુગતિક ન્યાય પ્રમાણે અન્ય દર્શનીય લેકો હજુ પણ ત્યાં પોતાના શરીર ઉપર કરવત મૂકાવે છે અને સ્વર્ગગમનને ઈરછે છે. અહીં એક વડ છે તેને સ્વેચ્છકોએ વારવાર કાપી નાંખે તે પણ પાછો તે ઊગ્યો છે. ઉક્ત આચાર્યના માથાની પરી જલચર જીવેથી ખવાતી-તેડાતી પાણીનાં તરવડે કરીને તણાતી તણાતી એક ઠેકાણે નદીના કિનારે જઈ પોંચી ત્યાં તેમાં પાટા વૃક્ષનું બી પડવાથી કાળાન્તરે તે ખોપરીને ફાડીને તેમાં પાટલા નામનું ઝાડ ઊયું તે અત્યંત મનોહર શોભાવાળું થયું. તેને જોઈને શ્રેણિક મહારાજાના પૌત્ર ઉદાયી મહારાજાએ ત્યાં પાટલીપુત્ર (પટણ) નગર વસાવ્યું. નેટ –પ્રયાગ એ અધ્યા નગરીને પુરીમતાલ નામને પાડે કહેવાય છે. પ્રયાસના કિલામાં અત્યારે જે વડનું ઝાડ છે તેની નીચે શ્રી આદીશ્વર ભગવાનને કેવળજ્ઞાન થયું હતું એમ કહેવાય છે, તે વડલા નીચે અત્યારે પણ તીર્થકર ભગવાનની મૂર્તિ છે, તેને અન્ય દર્શની બીજા નામથી પૂજે છે. અહિચ્છત્રા, અત્યારે આ સ્થાન તે વિચ્છેદ જેવું છે. બરેલી જીલ્લામાં એનાલા, તેની ઉત્તરે આઠ માઈલ દૂર રામનગર ગામ છે. રામનગરથી દક્ષિણમાં સાડા ત્રણ માઈલના ઘેરાવામાં કેટલાક ખડિયે વિદ્યમાન છે જેને અહિચ્છત્રા કહેવાય છે. આ નગરીનાં ખંડિયેરે જોતાં આ નગરીની પ્રાચીનતા, ભવ્યતા અને વિશાલતાને ખ્યાલ આવી શકે છે. અહીંથી જેને મતિઓ ખંડિત અને અખંડિત ન કળે છે. શાસનદેવ અને શાસન દેવીની મૂતિઓ નીકળે છે, જેન મંદિરોનાં ખડિયેરે દેખાય છે. આ સિવાય જૈન ધર્મના ચિન્હરૂપ પ્રાચીન સીક્કાઓ પણ નીકળે છે. તેમાં સ્વસ્તિક
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy