SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ] : ૪૫ પાવાપુરી વિભાર, વિપુલગિરિ, ઉદયગિરિ સુવર્ણ, રતનગિરિસદા; વૈભાર ઉપર નિશદિશ ઘર વસતાં સહસ છત્રીશ. (૧૭) ગિરિપંચે દસે ચિત્ય બ્રિણિસિં ત્રિણ બિંબ સમેત; સીધા ગધર જીહાં ઈગ્લાર, વ૬ તસ પદ આકાર, (૧૮) વસ્તુ વિભાર ગિરિવર વૈભાર ગિરિવર ઉપનિ ઉદાર, શ્રી જિનબિંબ સહામણાં એક સો પચાસ થઈ; નવ વિપુલગિરિ ઉપરઈ ઉદયગિરિ સિરિ ચ્યારરી ભણી, વિશ સેવનગિરિ ઉપરઈ રણગિરિ સિરિપંચ રિષભ જિણેસર પૂછ થઈ રાજગુડી રોમાંચ (૬) (વિજ્યકૃત સમેતશિખર તીર્થાવલી “ ૩૦) આવી રીતે અનેક જિનમંદિરથી અહીંના પાંચે પહાડી વિભૂષિત હતા. આની ભૂતકાલીન અને વર્તમાન સ્થિતિ સરખાવી દરેક ને તેમાંથી બોધ લેવાની જરૂર છે. પાવાપુરી ભગવાન મહાવીરસ્વામીને જુવાલિકાને તીરે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું અને ત્યાં દેવતાઓએ સમવસરણ રચ્યું. ત્યાં ક્ષણ વાર ઉપદેશ આપી, ત્યાંથી વિહાર કરી બાર યેાજન દૂર આવેલી અપાપાપુરી નામની નગરીમાં પધાર્યા. દેવતાઓએ સમવસરણ રહ્યું. પ્રભુ શ્રી મહાવીર દેવે તેમાં બિરાજી, પ્રાણીમાત્રના કલ્યાણ માટે મધુરી દેશના શરૂ કરી. આ વખતે જ સામીલ ભટ્ટને ત્યાં યજ્ઞ કરાવવા શ્રીઇન્દ્રભૂતિ ગૌતમ આદિ હજાર બ્રાહ્મણે એકઠા થયા હતા. તેમાં ઈતિએ જ્યારે સાંભળ્યું કે–જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન શ્રી મહાવીર સર્વિસ સર્વદશ થઈ અહીં પધાર્યા છે અને ઉપદેશામૃત વર્ષાવી રહ્યા છે ત્યારે અનેક સંકલ્પવિકલ્પ પછી ઈન્દ્રભૂતિ ગૌતમ પ્રભુથી મહાવીર દેવ પાસે વાત કરવા આવે છે. પરંતુ પિતે છવાઈ જાય છે અને પ્રભુશ્રી મહાવીર દેવના પ્રથમ શિષ્યરન બને છે. બાદ અગ્નિભૂતિ અને વાયુભૂતિ આદિ વિદ્વાન બ્રાહ્મણે પ્રભુ પાસે આવી પિતાની શંકાઓનું સમાધાન પામી પ્રભુના શિષ્ય બને છે. કુલ ૪૪૪૪ બ્રહ્મ એકી સાથે દીક્ષા ગ્રહણ કરે છે. તેમાંથી મુખ્ય અગિયારને ગણધર પદે રથાપ્યા. આ ગણધરે ઘા” આ ગંભીર ત્રિપદી પામીને મા દ્વાદશાંગીની રરાના અહીં જ કરી. અને પ્રભુ શ્રી મહાવીર દેવે સાધુ, સારી, શ્રાવક, શ્રાવિકારૂપી શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના અહીં જ કરી.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy