SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૪ર૭ : તક્ષશિલા ત્રણથી ચાર કેશ દૂર છે. પંજાબથી પેશાવર જતાં લાલામૂસા નામનું જંકશન આવે છે અને અહીંથી ભેરા તરફ હવે જાય છે. ભેરા સ્ટેશન છે . વર્તમાન ભેરાને વસ્યા લગભગ ૮૦૦ થી ૯૦૦ વર્ષ થયાં છે. અહીં પહેલાં જેનોની વસ્તી સારી હતી. અત્યારે ત્યાં જેનોનાં ઘર નથી, માત્ર એક પ્રાચીન જૈન મંદિર છે. અહીં અત્યારે માવો (આ પ્રદેશમાં જેનેને સવાલને ભાવડા કહે, છે. પ્રાચીન કાલમાં ભાવડાગચ્છ પણ હતે.) પI મુઠ્ઠા (જૈનેને વાસ) છે. આ પ્રાચીન મંદિરને પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના શિષ્યરત્ન શ્રી સહનવિજયજી મહારાજના ઉપદેશથી પંજાબના જેન સંઘે-શ્રી આત્માનંદ જન મહાસભાએ છીદ્ધાર કરાવ્યો છે. સાથે એક નાની ધર્મશાળા પણ બંધાવી છે. તીર્થસ્થાન પ્રભાવિક અને ચમત્કારી છે. તક્ષશિલા આ સ્થાન પંજાબમાં રાવલપિંડીથી નિરૂત્યમાં ૩૨ માઈલ દૂર જે રસીલા Terila એજ તક્ષશિલા છે. તેને ઈતિહાસ પાછળ વિચછેદ તીર્થોમાં આવે છે. પંજાબનું આ પ્રાચીન તીર્થધામ અને જ્ઞાનવિદ્યાપીઠનું કેન્દ્રસ્થાન છે. તક્ષશિલા * શ્રી આદિનાથજી પ્રભુના સુપુત્ર બાહુબલીની રાજધાની હતું. અને ઋષભદેવ પ્રભુ પણ વિહાર કરતા છવાસ્થકાલમાં અહીં પધાર્યા હતા. પ્રભુજીના સમારક નિમિત્તે બાહુબલીજીએ ધર્મચક્રની સ્થાપના કરી હતી, માટે હિન્દભરનું આ પ્રાચીન તીર્થધામ છે. ત્યાર પછી આ પાંચમા આરામાં વિક્રમની પ્રથમ શતાબ્દીમાં થયેલા અને શત્રુંજયદ્રારક શ્રીભાવશાહના સુપુત્ર જાવડશાહ, તક્ષશિલામાંથી શત્રુંજયગિરિ રાજ ઉપર બિરાજમાન કરવા શ્રી રાષભદેવજીની ભવ્ય મૂતિ લાવ્યા હતા. પછી શ્રી લઘુશાન્તિસ્તંત્રના કર્તા શ્રી માનદેવસૂરિજીએ તક્ષશિલાના શ્રી સંઘની શાંતિ માટે લઘુશાન્તિસ્તંત્ર બનાવ્યું હતું. ત્રણ વર્ષ બાદ આ નગરને છાએ વંસ કર્યો હતે. વિક્રમની પાંચમી શતાબ્દિને આ પ્રસંગ છે. તક્ષશિલાને ઉચ્ચાનગર નામને એક પાડોહતા. અહીં જે વિદ્યાપીઠ હતું. વાચક ઉમાસ્વાતિજીએ તત્વાર્થસૂત્ર આ વિદ્યાપીઠમાં અધ્યયન કરાવવા માટે રચ્યું હતું એમ મનાય છે. અત્યારે તે તક્ષશિલાની ચારે બાજુ ખડિચેરે છે પ્રાચીન રસૂપ, સિકકા, જેને મતિઓ નીકળે છે. વિશેષ માટે જુઓ વિચ્છેદ તીર્થોમાં તક્ષશિલા. પોતાના દિવાનના કહેવાથી ભાણેજે આ રાજર્ષિને વિષ અપાવ્યું. આખરે રાજર્ષિ મા પધાર્યા. પછી નગરરક્ષક દેવે ધૂળને વરસાદ વરસાવી વીતભયપતનને દબાવી દીધુ-વિનાશ કર્યો. આ નગરનો ઉદ્ધાર મહારાજા કુમારપાલે વીર નિ, સં, ૧૬૬૯ માં કરાવ્યું અને મૂર્તિ બહાર કાઢી લીધી. બસ, એજ પુરાણું વીતભયપતન આજે ભેરા તરીકે પ્રસિદ્ધ છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy