SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ] અંતરીક્ષ પાર્શ્વનાથજી પીધું. તંબુમાં જઈ રાત્રે સૂતા. સવારમાં રાહુએ જોયું કે રાજાને કેહને રેગ મટી ગયો છે. તેણે રાજાને પૂછયું–નાથ! આ આશ્ચર્યજનક ફેરફાર કેવી રીતે થયે? રાજાએ જણાવ્યું કે સરોવરમાં હાથ પગ ધંઈ જલ પીધું હતું. બીજે દિવસે આખું શરીર ધાયું. રાજાને તેથી વધારે આરામ થા. પછી રાણીએ ધૂપદીપપૂર્વક વિનયથી પૂછયું કે અહીં કયા દેવ છે? રાત્રે ગણીને સ્વપ્ન આવ્યું કે અહીં શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની પ્રતિમા છે તેના પ્રભાવથી રાજા નિગી થયો છે. આ પ્રતિમાજીને ગાડામાં બેસાડીને સાત દિવસના તાજા જન્મેલા વાછડા જોડવા, કાચા સુતરના તાંતણાના દેરડાથી લગામ બનાવી સારથી વિના જ રથ ચાલશે, પરંતુ પાછા વળીને જોવું નહિ કે શંકા કરવી નહિં. જ્યાં પાછું વાળીને જોશે કે રથ ત્યાં જ સ્થિર થઈ જશે.” પછી રાજાએ પ્રતિમાજી મેળવ્યા અને દેવતાના કથન મુજબ રથ તયાર કરી પ્રતિમાજી બિરાજમાન કર્યા. રથ ચાલે. થોડે દૂર ગયા પછી રાજાએ પાછું વાળીને જોયું કે પ્રતિમાજી આવે છે કે નહિં? બસ, પ્રતિમાજી ત્યાં જ અધ્ધર-આકાશમાં સ્થિત થઈ ગયાં. રથ આગળ નીકળી ગયા. રાજાએ તે જોયું. બાદ ત્યાં જ પિતાના નામથી સિરિપુર નગર વસાવ્યું. ત્યાં જ જિનમંદિર બનાવ્યું અને ત્રિકાલ પૂજા કરવા લાગ્યો. ૨ થકાર કહે છે કે-પ્રતિમાજી પહેલાં તે ઘણાં અધર હતાં. હેલ ભરીને બાઈ પ્રતિમાજી નીચેથી નીકળી જાય તેટલી અધર પ્રતિમાજી હતાં. કાલસંગે જગીન ઊંચી થઈ અથવા તે મિથ્યાત્વના કારણેથી પ્રતિમાજી નીચે ઉતરતાં ગયા તેમ દેખાય છે અત્યારે તે પ્રતિમાજી નીચેથી ઉત્તરાસન ચાલ્યું જાય છે અથવા દીપકનો પ્રકાશ પ્રતિમાજીની નીચેથી નીકળે છે એટલી અધર પ્રતિમા છે. (અત્યારે પણ આટલી જ છે.) આ પ્રસંગ તેરમી શતાબ્દિને છે. “હરાડચા ઈતિહાસમાં પણ ઉલ્લેખ મળે છે કે તેરમી શતાબ્દિમાં એલચપુરમાં શ્રીપાળ રાજ હતા અનુક્રમિ એલચરાયને રેગ દૂરી ગમે તે જલ સંગ; અંતરીક પ્રભુ પ્રગટયા જામ સ્વામિ મહીમા વાધો તા. ૧૮ આગે તે જાતો અસવાર એવડે અતર તે સાર; એક દેરાનું અંતર આજ દિન દિન દીપીએ મહારાજ. ૧૯ ( પ્રાચીન તીર્થમાલા, પૃ. ૧૧૪, શીતવિજયજી) જ અન્ય ગ્રંથમાં ઉલ્લેખ મળે છે કે-રાજાએ પિતાના દ્રશ્યથી વિશાલ મદિર બનાવ્યું તેથી તેને અભિમાન થઈ ગયું જેથી અધિષ્ઠાયક દેવે કહ્યું કે-પ્રભુજી સંઘે બનાવેલા મંદિરમાં બિરાજશે સંધે પુનઃ જિનમંદિર બનાવ્યું અને તે વખતે દક્ષિણમા વિચરતા શ્રી મલવારી શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી, તે વખતે પણ પ્રતિમાજી અદ્ધર જ હતા. ૧૧૪૨ મહાશુદ ૫ ને રવિવારે માલધારી શ્રી અભયદેવસૂરિજીએ પ્રતિષ્ઠા કરી હતી. આ સમયે પ્રતિ નાજી સાત આગવ અદ્ધર હતા.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy