SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - ઇતિહાસ ]. * ૩૩૩ : દીયાણાજી તીર્થ છે. સાથે ભેમી જરૂર રાખવે. બીજે ગાડા રસ્તે છે તે લગભગ છ માઈલ હશે. આ રસ્તે સારે છે પરંતુ યાત્રિકેએ ભેમિ અથવા ચેકીયાત જરૂર રાખ. દીયાણાજી તીર્થ લેટાણાથી દીયાણા ચાર માઈલ છે. દીયાણાજીમાં શ્રી જીવિતસ્વામીની મૂર્તિ પ્રસિદ્ધ છે. આ તીર્થ અત્યારે પહાડની નીચે જંગલમાં આવ્યું છે. જંગલમાં મંગલ કરાવે તેવું આ સુંદર સ્થાન છે. સુંદર કિલ્લાની અંદર, સુંદર મંદિર અને ધર્મશાળાઓ છે. બાવન જિનાલયનું આ મંદિર પ્રાચીન, ભવ્ય અને પરમ દર્શનીય છે. મૂલનાયકછ શ્રી મહાવીર પ્રભુની સુંદર હૃદયંગમ પ્રાચીન મૂર્તિ છે. પરમ વિરાગ્યરસથી ભરેલી અમૃત રસને વષવતી આ મૂર્તિ જીવિતસ્વામીની મૂર્તિની ઉપમાને યોગ્ય છે. પરિકર પણ સુંદર અને મનહર છે. મૂલ ગભારામાં અઢીથી ત્રણ હાથની વિશાલ પરિકરવાની શ્રી વર્ણમાનસ્વામીની મૂર્તિ છે અહીં લેખ વગેરે કાંઈ નથી. બહાર બે કાઉસગીયાજી છે. બન્ને ઉપર નીચે પ્રમાણે લેખ છે. જમણી બાજુના કાઉસ્સગીયાજી નીચેને લેખ– संवत् १४११ (१६११ ) वर्षे प्राग्वाटज्ञातीय भे०कुयरामार्या , सहजु पुत्र श्रे०तिहण भार्या जयत् पुत्र रुदा भार्या वसतलदेवी समन्वितेन श्रीजिनयुगलं વારિત છે ડાબી બાજુના કાઉસગ્ગીયાજી નીચે આ પ્રમાણે લેખ છે. સંવત ૨૦૨૨ [૨૪૨૨] જે શ્રી પરમાણુંદસૂરિજીએ પ્રતિષ્ઠા કરાવી છે, એક માતૃકા પટ્ટક ઉપર પણ લેખ છે તેમાં સંવત્ ૧૨૬૮ માં નાણુકીયગચ્છના આચાચે પ્રતિષ્ઠા કરાવી છે. પ્રતિષ્ઠા સિંહસેને કરાવી છે. અહીં અત્યારે ૧૯ થી ૨૦ પ્રભુ મૂર્તિઓ છે. કાઉસ્સગીયાજી સહિત બાવીસ મૂર્તિઓ છે. ઘણી દેરીઓ ખાલી છે. અહીંની પ્રદક્ષિણાની દેરીમાં એક પરિકરની ગાદીમાં સં. ૯૯ ને ખરાખી લીપીને લેખ છે. મૂલનાયકજીની મૂર્તિ એવી સુંદર અને ધ્યાનમગ્ન છે કે સાક્ષાત્ યુવાનવયસંપન્ન વીરપ્રભુ ધ્યાનમાં બેઠા હોય. સ્થાન ધ્યાન કરવા લાયક છે. કેઈ જાય કે ધ્યાન કે ચગને માટે પરમ શાંત વાતાવરણ ઈચ્છતા મુમુક્ષુઓએ જરૂર લાભ લેવા જેવું છે અહીં કાર્તિકી પૂર્ણિમાના મેળામાં તે આ પ્રદેશનાં શ્રાવક શ્રાવિકાઓનાણા, માલણું, ઉંદરા, સીવેરા, બામણવાડા, નાંદીયા, લેટાણા અને દીયાણાની યાત્રાની પ્રદક્ષિણા કરે છે. ચૌદશની સાંઝથી આ પ્રદક્ષિણા શરૂ થાય છે અને પૂર્ણિમાએ માલણ, ઉંદરા અને સીરામાં પ્રાચીન ભવ્ય મંદિરો છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy