SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] [: ૨૦૭ : ઈડરગઢ • ગોવિન્દ સંઘપતિએક ઈડરગઢમાં મહારાજા કુમારપાલે બંધાવેલા જિનમન્દિરને જીર્ણોધ્ધાર કરાવ્યું હતું તેને ઉલેખ સેમસૌભાગ્ય કાવ્યમાં મળે છે. "यः पर्वतोपरि गरिष्टमतिः कुमारपालोवरेश्वरविहारमुदारचित्तः जीणं सकर्ण કરવાનઘવારનવાર દ્રવ્યન વસુન સમુધારા” (સર્ગ ૭, ૧૦) જે મટી બુદ્ધિવાળા, ઉદાર ચિત્તવાળા, વિદ્વાનોમાં ઇન્દ્રરૂપ અને નિર્દોષ વાસનાથી યુક્ત એવા ગોવિંદ સાધુએ ઘણુ દ્રવ્ય ખર્ચો પર્વત ઉપર રહેલા કુમારપાલના જીર્ણવિહાર-પ્રાસાદને સારી રીતે ઉદ્ધાર કર્યો. સેમસૌભાગ્ય કાવ્યમાં ઈડરના શ્રી કષભદેવજીના મંદિરનું સુંદર વર્ણન છે. મહાન વિદ્વાન, અનેક ગ્રંથના રચયિતા શ્રી ગુણરત્નસૂરિજીએ ઈડરમાં વિ. સં. ૧૪૬૬ માં કિયારત્નસમુચ્ચય ગ્રંથ બનાવ્યો હતે પદરમી શતાબ્દિમાં શ્રી સુમતિસાધુ સૂરિજીની આચાર્યપ વી ઈડરમાં થઈ હતી. મહાન કિધ્ધારક આચાર્ય શ્રી આ વિમલસૂરિજીને જન્મ વિ. સં. ૧૫૪૭ મા ઈડરમાં જ થયા હતા. ઈડરી નયરિ હુઓ અવતાર, માતા માણેકકુક્ષિ મહાર. સા મેવા કુલિકમલદિણ દ, શ્રી આણંદવિમલસૂરિ (શ્રી વિનયભાવકૃત સજઝાય) શ્રી સોમવિમલસૂરિજીની આચાર્ય પદવી પણ અહીં જ થઈ હતી ઈડરમાં સુપ્રસિધ્ધ વિદ્વાન ઉપાધ્યાય શ્રી શાન્તિચંદ્રજીએ દિગબર ભટ્ટારકવાદીભૂષણ સામે ઈડરનરેશ નારાયણરાવની સભામાં વાદવિવાદ કરી જયપતાકા મેળવી હતી. જુઓ તે હકીકતને લગતું કાવ્ય. તાસ સીસ વાચકવરૂ શાંતિચદ્ર ગુરૂસીફરે છે સુરગુરૂની પરિ જીણી વિદ્યાઈ રાખી જગમાં લીહરે , રાય નારાયણરાજસભાઈ ઈડિરનયરી મઝારે રે , વાદીભૂષણ દિપટ જીતી પામ્યા જય જયકાર રે આ શાંતિચંદ્રજી જગદ્દગુરુ શ્રી હીરવિજયજીની સાથે અકબરને પ્રતિબંધ આપવા ગયા હતા. સૂરિજીની પછી પણ અકબર પાસે રહ્યા હતા અને જીવદયાનાં અનેક શુભ કાર્યો કરાવ્યાં હતા. વિશેષ માટે જુઓ તેમણે બનાવેલ કૃપાકેશ કા. ઈડરમાં એસવાલ વંશમાં ભૂષણરૂપ વત્સરાજ શ્રાવક હતા. તેમને રાણું નામની સુંદર સ્ત્રી હતી તેનાથી ગેવિન્દ, વીસલ, અકૂસિ ૯ અને હીરે નામના ચાર પુત્ર થયા હતા. તેમા ગોદિ રાયમાન હતું. તેમણે શત્રુંજય, સોપારક આદિ તીર્થની યાત્રા કરી હતી અને તાર ગાજીના મન્દિરને બહાર કરાવી શ્રીસમસુદરસૂરિ પાસે અજિતનાથ પ્રભુનીમતિની પ્રતિષ્ઠા કરાવી હતી વીસલ ચિત્તોડના રાજા લાખાને માનીતું હતું અને તેણે ચિતોડમાં મંદિર બંધાવ્યું હતું (મેસૌભાગ્ય પ્રાધ્ય સર્ગ દ)
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy