SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ઈતિહાસ ]. ૧૫૯ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથજી આ મંદિરનું મુખ પશ્ચિમાભિમુખ હતું. ભમતીની દેરીઓમાં ઉત્તર તરફ બે, દક્ષિણ તરફ બે અને પૂર્વ તરફની લાઈનમાં વચ્ચે એક એમ કુલ પાંચ મોટા ગભારા (ભદ્રપ્રાસાદ) તથા ૪૪ દેરીઓ બનેલ હતી. આ સુંદર ભવ્ય મંદિર પૂરી એક સદી પણ ટકી ન શકયું. મંદિર બન્યા પછી માત્ર ૮૦ વર્ષ સુધી પોતાનું અસ્તિત્વ ટકાવ્યું ત્યાં તે દિલડીની ગાદીએ ઔરંગઝેબ આવ્યું. તેના હુકમથી આ મદિરને દવસ કરવામાં આ. શ્રીમૂલનાયકજી વગેરેની કેટલીક મૂર્તિઓ પહેલેથી ખસેડી તેને જમીનમાં ભંડારી દીધી હતી. અને બચેલી મૂર્તિઓ ખંડિત પણ કરવામાં આવી. આ પ્રાચીન મંદિરનાં ખડિયે અત્યારે વિદ્યમાન છે જે જોતાં એ મદિર ની ભવ્યતા અને સુંદરતા બતાવી આપે છે. અત્યારે એક કંપાઉન્ડમાં આ મંદિર છે, જેની દેખરેખ તાબાર જેન કારખાનુ રાખે છે. ઉપર્યુક્ત દેરાસર ટટ્યા પછી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ કેટલાક સમય સુધી ભેંયરામાં રાખવામાં આવી હતી. મુસલમાની ફેજને ભય દૂર થયા પછી ભેંયરામાંથી બહાર લાવીને મુંજપુર કે શખેશ્વરના ઠાકોર એ કેટલાક વખત સુધી પિતાના કબજામાં રાખી હશે, અને તેઓ અમુક રકમ લીધા પછી જ યાત્રાળુઓને દર્શન કરાવતા હશે. ત્યારપછી શ્રીમાન વિજયસેનસૂરિજી મહારાજના પટ્ટધર શ્રી વિજયદેવસૂરિજી મહારાજના પટ્ટધર (શ્રી વિજયસિહસૂરિજી મહારાજના શિષ્ય) શ્રી વિજયપ્રભસૂરિજી મહારાજના ઉપદેશથી, શ્રી સંઘના આગેવાના પ્રયાસથી યા તે કવિવર ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીએ કરેલી સ્તુતિથી થયેલા ચમત્કાર અને ઉપદેશથી શ્રી શખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ શ્રી સંઘને ઑપાણી હોય તેમ જણાય છે. ત્યારપછી થોડાં વર્ષો પ્રભુજી એક મકાનમાં પણ દાખલ રહ્યા છે. આ સિવાય બીજા પણ બે-ત્રણ ઉધ્ધાર થયાના છૂટક ઉલેખો મળે છે. પ. અત્યારે વિદ્યમાન ઉધ્ધાર તપાગચ્છાધિપતિ દાદાં જગદ્દગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજીની પરંપરાના આચાર્ય શ્રી વિજયપ્રભસૂરીવરજીના ઉપદેશથી થયે છે. આ મંદિરમાં પ્રતિષ્ઠા તેમના જ પટ્ટધર આચાર્ય શ્રી વિજયરત્નસૂરીશ્વરજીએ પ્રાયઃ ૧૭૬૦માં કરાવી છે. મૂળ મંદિર બન્યા પછી થોડાં વર્ષોમાં સભા-મંડપ, બાવનજણાય છે, કારણ કે તેની બારશાખ ઉપર કઈમાં સં. ૧૬૬૮ તથા કઇમાં સં. ૧૬૭૨ લખ્યું છે. સં. ૧૭૫૧ ની સાલમાં જૈન શ્વેતાંબરી હુંબડ જ્ઞાતિને એક વાણિયો હતો. તેના બાપદાદાનું કરાવેલું એક દેહરું ખાલી હતું તે સુધરાવી ને તેમાં ઉક્ત મૂર્તિ પધરાવી પછી પાટણના સ છે તે ઘણું સુધાર્યું તથા મ ડ૫, પ્રદક્ષિણ વગેરે રોજ રેજ થતું ગયું. હાલ શંખેશ્વરની ઉપજ તથા ખર્ચની સ ભાળ રાધનપુરના શાહુકાર મશાલીયા રાખે છે.” ઉપર્યુકત જિનપ્રાસાદ માનજી ગંધારીયાએ જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરીશ્વરજીના પદાલંકાર શ્રીવિજયસેનસૂરિજીના ઉપદેશથી જ કરાવ્યો હશે એમ જણાય છે. X
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy