SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ - -- - ગિરનાર : ૧૧૮ : [ જૈન તીર્થોને વાડમાં જામનગર જૈનપુરી જેવું ગણાય છે. જામનગરનું બેડીબંદર બહુ પ્રસિદ્ધ છે. જામનગર રેલવે સ્ટેશન છે. ગિરનાર તીર્થ જૈવતાચલ) જુનાગઢ શહેર, કાઠિયાવાડ દીપક૯પના દક્ષિણ ભાગમાં દરિયાકિનારેથી વસ માઇલને અંતરે આવેલ છે. સૌરાષ્ટ્રની રાજધાની જુનાગઢ કહેવાય છે. જુનાગઢમાં નવાબી રાજ્ય છે અને તે શેરડે સરકારને નામે પ્રસિદ્ધ છે. જુનાગઢ સ્ટેશન છે. જુનાગઢ સ્ટેશનથી જુનાગઢ શહેર ૧ માઈલ દૂર છે. મુસલમાની યુગમાં તેનું નામ ચુસ્તફાબાદ હતું. તેનાં પ્રાચીન નામ મણિપુર, ચંદ્રકેતુ, રેવત અને જીર્ણદુર્ગ હતાં. સ્ટેશનથી શહેરમાં જતાં રસ્તામાં ટેટનાં મકાને, મકબારાઓ વગેરે જેવા લાયક છે. સ્ટેશનથી શહેરમાં જવાની સીધી પાકી સડક છે; વાહનાદિ મળે છે. બજારમાં ન જતાં બારેબાર બહારથી જઈએ તે સુંદર જિનમંદિર, શેઠ પ્રેમાભાઈની ધર્મશાલા, સામે જ બાબુવાની ધર્મશાળા, જૈન કન્યાશાલા વગેરે આવે છે. ત્યાંથી આગળ જતાં ઉપરકેટ તળ તેની આસપાસ અનેક ગુફાઓવાળી ખાઈ, કિલ્લામાં અસલી સેંથરા, અનાજના કેરે, રનવા બંધાવેલી અડીકડીની વાવ, નવલણને કૃ વગેરે જેવા લાયક છે. ઉપરકેટમાં ઇષ્ટમાં બનેલી (૧૫૩૦માં) લીલમ તેપ, ચુડાનાલા તેપ, રખેંગારને મહેલ (જે અત્યારે મરછર છે) વગેરે જોવા લાયક છે. તેમજ અશોક, રૂદ્રદામા અને કંદગુપ્તના લેખે, ૨૭૫ ફૂટ ઉંડે દામોદર કુંડ વગેરે પ્રાચીન અવશે નિરીક્ષણીય છે. આગળ જતા તલાટી નીચે સુરતવાળા શેઠ પ્રેમચંદ રાયચંદની જૈન ધર્મશાલા, સુંદર જિનમદિર, નજીકમાં સવવી પૂલચંદભાઈની ધર્મશાલા વગેરે છે. એનાંખ્ય મંદિર અને ધર્મશાલા સામે દિગબર મંદિર અને ધર્મશાલા છે, તાંબર ધર્મ, શાલામાં જૈન ભેજનશાળા ચાલે છે. આગળ જતાં સિધ્ધરાજ જસિંહે બંધાવેલી એક થડા ની વાવ આવે છે. પાસે જ ગિરનાર ઉપર જવાને દરવાજો છે. દરવાજાની જમણી બાજુએ શ્રી નેમિ નાથ ભગવાનની દેરી આવે છે. તેમાં પાદુકાઓ છે. આ દેવી દેવેતાંબરીય શ્રાવક લક્ષ્મીચંદ પ્રાગજીએ બંધાવેલી છે. જુનાગઢના સુપ્રસિદ્ધ ધર્મપ્રેમી ર્ડો. ત્રિભુવતદાસ રેતીચંદના સુપ્રયત્નશી ગિરનાર ઉપર સુંદર પગથિયા બધાઈ ગયાં છે. આગળ જતાં વચમાં પર આવે છે, ત્યાં બે-ત્રણ ઠેકાણે ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા જૈન પેઢી તરફથી રાખવામાં આવે છે. આગળ જતાં માલી પરબનું નવું ટાંકુ આવે છે. ત્યાં ડાબા હાથ તરફ ચઢતાં પથ્થરમાં એક લેખ કરે છે, તેમાં લખ્યું છે કે-“સં. ૧રરર શ્રીરાતીવાદું જીવન વઘઇ રિતા અહીંથી આગળ ઉપર ચઢાવ કઠિન છે, પરતું પગથિયા બની જવાથી અનુકૂળતા સારી થઈ છે. ત્યાંથી થોડું ચડીએ એટલે કાઉસગીયા આવે છે. ત્યારપછી હાથી
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy