SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ “સંવત સેલ વિક્રમરાજ, સૂરત નામ ગણિકા સાજ; તાપર પાતકી મહેર, તાને વચ્ચે સુરત શહેર. ૩ ફિરક ગેપીસા સાહુકાર, ગોપીપુરા વાસ્યા સાર; ગોપી નામ સરવર વાવ, પથ્થર કેલબંધી સાવ. ૪. સૂરજ મંડલા શ્રીપાસ, થાપન કિયા ગેપીદાસ; તાપિ છપરાંસી પતસાહ, કિલ્લા કીન વડ ઉછાંહ. ૫” સેળમા સૈકાથી આજ સુધી આ નગરને ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. સુરતનું સાચું સોંદર્ય નિહાળવા માટે એના અંતરપટ ઉકેલવા જોઈએ. એણે અનેક જળપ્રલયે નિહાળ્યા છે, કેટલાય દાવાનળો અનુભવ્યા છે, અનેક લટે આપી છે. એવા અનેક કારમા ઘા ઝીલ્યા છતાં આજે પિતાનું નામ દીપાવતું એ ઊભું છે, એમાં જ એની સુંદરતાનું રહસ્ય સમજાય છે. સુરતમાં એક સમયે ચોરાશી બંદરને વાવટો ફરકતો હતો. ભારતવર્ષમાં એના કારીગરોની હોડમાં કઈ ઊતરતું નહિ. શિવાજી મહારાજે અહીંની સંપત્તિ લૂંટને પિતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરી હતી. અંગ્રેજે સુરતના સોંદર્યથી લલચાયા હતા અને પિતાનું સો પહેલું થાણું અહીં નાખ્યું હતું. - સુરતનું સૌંદર્ય વધારવામાં અને એને ગૌરવ મહિમા ગાજતો કરવામાં જેનેનું સ્થાન અપદે હતું. આજે પણ તેનું એ સ્થાન કેટલેક અંશે જળવાઈ રહેલું જોવાય છે. સુરતના ગેપીપુરા અને નાણાવટમાં ઝવેરીઓ અને નાણાવટીઓની ઊંચી અટ્ટલિકાઓ એનું આપણને ભાન કરાવે છે. એમની દાનવીરતા ઈતિહાસના પાને અંકાયેલી છે. નગરશેઠ જગન્નાથભાઈ, ભણશાલી શૈઠ, લક્ષ્મીદાસ તેમજ શાંતિદાસ શેઠની પ્રાચીન કાળની સખાવત અને શેઠ પ્રેમચંદ રાયચંદ, શેઠ નગીનદાસ, શેઠ નગીનદાસ ઝવેરચંદ વગેરેએ કરેલાં દાનનાં સ્મારકે આજે પણ એમને મહિમા ગાઈ રહ્યાં છે. આજે અહીં ઊભેલાં નાનાં-મોટાં ૭૪ જિનમંદિરે અહીંના દાનવીની યશોગાથા સંભળાવી રહ્યાં છે. આ મંદિરે પૈકી કેટલાંક તે વિશાળ ને ભવ્ય છે. કેટલાંક પ્રાચીન છે ને વારંવારના જીર્ણોદ્ધારથી નવાં બન્યાં છે. અહીં | વિગત નેધવાને અહીં અવકાશ નથી પણ જે જિનમંદિર બાંધણીમાં અને તેમાંની રચનામાં વિશેષતા ધરાવે છે તેને ક્રમવાર ઉલ્લેખ કરીએ છીએ. ૧. ગોપીપુરા-ઓસવાલ મહલ્લાના નાકે શેઠ મંછુભાઈ તલકચંદના પુત્રએ સં. ૧૯૨ ના જેઠ સુદિ ૨ ના શ્રીસંભવનાથ ભગવાનનું મંદિર બંધાવી પ્રતિષ્ઠા કરાવી છે. આમાં મૂળનાયકની તથા બીજી ત્રણ પ્રતિમાઓ રત્નની છે. આરસના થાંભલાઓ અને પૂતલીઓ તેમજ ચિત્રોમાં તીર્થોની રચના દર્શનીય છે. આ મંદિર નાજુક અને રળિયામણું છે. ગોપીપુરા–મેટી પિળમાં શ્રી વાસુપૂજ્ય ભ. નું ભવ્ય મંદિર છે. પહેલા માળના ભેંયરાના લેખ ઉપરથી જાણી. શકાય છે કે શ્રી. રત્નસાગરજી મહારાજના ઉપદેશથી શેઠ સાકરચંદ લાલભાઈ તરફથી આ મંદિર બંધાવાયું છે. તેની પ્રતિષ્ઠા શ્રી. સિદ્ધિવિજયજી મહારાજે કરાવી છે. બીજો માળના ભેંયરામાં દેરાસર છે તેમાં મૂ૦ ના૦ શ્રીશાંતિનાથ ભ. છે. ઉપરના માળમાં ચોમુખજી છે. વચમાં શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. બીજી બાજુએ સમેસરણની સુંદર રચના છે. આ દેરાસરમાં મૂતિઓ પ્રમાણમાં ઘણી છે ને માપમાં મટી પણ છે. ભેંયરામાં એક નીચે એક એમ બે માળ, નીચે અને ઉપર મળીને ચાર માળમાં દેરાસર છે. સુરતના સમૃદ્ધિમાન દેરાસરમાં આ દેરાસર પ્રથમ પંક્તિનું છે. મૂળનાયકનું બિંબ અદભુત અને પ્રભાવશાળી છે. રળિયામણે રંગમંડપ કેરણીવાળો છે. એને ગભારે માટે છે. ગેપીપરા–મોટી પળમાં શેઠ હીરાચંદ મંગળદાસ રાજાએ બંધાવેલું શ્રીપાશ્વનાથ ભગવાનનું સુંદર મંદિર છે. આ દેરાસરમાં સમેતશિખર પહાડની રચના આબેહબ કરેલી છે. ઈટ અને ચૂનાથી બનાવેલી આ રચના ખરેખર, હિંદની ઉત્તમ કારીગરીને નમને ગણાય. એમાં દેરીઓ અને મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી છે. પ્રાચીન પૂતળાં, ચિત્ર અને શેઠ-શેઠાણીના ફેટાઓ જોવાલાયક છે. ૪. ગેપીપરામાળી ફળિયામાં શ્રી આદીશ્વર ભગવાનનું મોટું મંદિર આવેલું છે. આ દેરાસર આણુસૂગછના દંરાસર તરીકે ઓળખાય છે. આને ઘૂમટ સુરતના દેરાસરમાં સૌથી મટે છે. આમાંનું પથ્થરનું કામ અને બાંધણી
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy