SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ જૈન તીર્થ સર્વસંગ્રહ આ ટૂંકમાં જ કુંડ પાસે નીચાણમાં પણ પગથિયાં ઊતરતાં શ્રી આદિનાથ પ્રભુના મંદિરમાં જવાય છે. ડુંગ૨માંથી કેરી કાઢેલી આદિનાથ પ્રભુની અદ્ભુત વિશાળ પ્રતિમા “અદબદજી” નામે ઓળખાય છે. લેકવણું એમને “ભીમ પાંડવ”ની મૂર્તિ તરીકે પણ ઓળખે છે. મૂર્તિ ઉપર લેપ કરાવેલ છે. આ મૂર્તિની ૧૮૪૧૪૩ ફીટ ઊંચાઈ પહોળાઈ છે. કરણમાં પ્રાચીનતા જોવાય છે. સં. ૧૬૮૬ માં શ્રી ધરમદાસ શેઠે આ મૂર્તિની છેલ્લી પ્રતિષ્ઠા કરાવી છે. ૮. બાલાવસહીની ટૂંકને ચોક ૧૫૧૪૧૦૯ ફીટ લાંબે-પહેળે છે. તેના ખૂણા ઉપર ગોળ શિખરે બનાવેલાં છે. તેમાં બાલાભાઈએ સં. ૧૮૯૩માં શ્રીત્રાષભદેવ ભગવાનનું મુખ્ય મંદિર બંધાવ્યું છે. મૂળનાયકની મૂર્તિનું પરિકર રમણીય છે. રંગમંડપમાં બીજી મૂર્તિઓ સાથે હાથી ઉપર આરૂઢ નાભિરાયની મૂર્તિ છે. માળ ઉપર ચૌમુખજી વગેરેની મૂર્તિઓ છે. ભમતીમાં ચકેશ્વરી દેવી અને ગોમુખ યક્ષ વગેરેની મૂર્તિઓ છે. ચૌમુખજીના મંદિર જેવી બાંધણી છે. આમાં ફક્ત તફાવત એટલે છે કે ગભારે લાંબે છે ને ઉપર ત્રણ શિખર છે. મેતીશાહની ટૂંક ૨૩૧૪૨૨૪ ફીટ લાંબી-પહેળી છે. ટૂંકને દિવાલેથી ઘેરી લીધી છે. ચારે બાજુના ખૂણામાં ગેળ શિખરો બાંધેલાં છે. પૂર્વ તરફના દરવાજામાં પેસતાં ભવ્ય ચેકમાં આવેલું મંદિર મોતીશાહ શેઠના પુત્ર શેઠ ખીમચંદભાઈએ સં. ૧૮૭ માં પ્રતિષ્ઠિત કર્યું છે. લગભગ ૮૧૪૬૭ ફીટ લાંબા-પહોળા મંદિરમાં પ્રવેશતાં બે દેરીઓમાં ચકેશ્વરી દેવી અને ગેમુખ યક્ષની સ્થાપના કરેલી છે. રંગમંડપમાં ત્રણ કમાનેમાંથી આગળની કમાનમાં સુંદર કારીગરીવાળાં તેણે લગાવ્યાં છે, મૂળગભારામાં મૂળનાયક શ્રીવાષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. પંડરીકસ્વામીનું મંદિર મોતીશાહ શેઠે બંધાવેલું છે. પુંડરીકસ્વામીની મૂર્તિ શત્રુંજય પરની મૂર્તિઓમાં આકર્ષક છે. મંદિરના એક ગોખમાં મરૂદેવા માતા આદીશ્વર ભગવાનને ખોળામાં લઈ બેઠાં છે ને સામેના ગોખમાં નાભિરાજાની મૂર્તિ છે. આ ટૂંકમાં ૧૬ મંદિરે અને ૧૨૩ દેરીઓ છે. ટૂંકની બહાર એક વાવ જે કુંડ અને તેને છેડે કંતાસર દેવીની મૂર્તિ છે. બધી ટૂંકમાં મળીને ૧૦૬ મંદિરે અને ૭૩૧ દેરીઓ છે. શત્રુંજય ગિરિ ઉપર ચડવા માટે જયતળેટી સિવાય બીજા ત્રણ રસ્તાઓ છે. (૧) શેત્રુંજી નદીમાં સ્નાન કરીને તળેટીના રસ્તેથી કલ્યાણુવિમળની દેરીના જમણે પડખેથી ૨ માઈલ દૂર “ભાઠી વીરડા પાગ’ના રસ્તે ઠેઠ સુધી ૩ માઈલના ચડાવમાં આદિનાથ ભગવાનની ચરણપાદુકાવાળી દેરી અને ડાબી બાજુએ મેખરની ટેકરી પર દેવકીજીના છ પુત્રોનાં પગલાંની દેરીનાં દર્શન કરીને રામપળને દરવાજો આવે છે. (૨) રહીશાળાની પાગ”ના રસ્તે શેત્રુંજી નદી પાસેની ઢાળવાળી જમીનથી રામપળ સુધી ૪ માઈલને ચડાવ છે. આ માગે રસ્તામાં જળકુંડ અને નાની દેરીઓ આવે છે. (૩) ઘેટી પાગના રતે આદપુર ગામથી પૂર્વ તરફ લગભગ ૨ માઈલના ચડાવ પછી ગિરિરાજને કિલે આવે છે. આ રસ્તે તળેટીમાં સદર પાટકામંદિર છે. એની ભી તેમાં સુંદર ચિત્રામણો છે ને ફરતી જાળી છે. મંદિરમાં વીશ તીર્થકરેની પાદુકાઓ છે. લગભગ અડધે રસ્તે એક દેરી આવે છે, તેમાં વીશ તીર્થકરની ચરણપાદુકાઓ છે. તેની પાસે કુંડ અને વિસામે છે. જે યાત્રી જયતળેટીથી ચડીને શંત્રુજયનાં દર્શન કરી, પાગની યાત્રા કરી એ રસ્તે પાછા ફરી જયતળેટીમાં આવે છે તેણે ગિરિરાજની બે યાત્રા કરી એમ મનાય છે. ગિરિરાજની ત્રણ પ્રદક્ષિણાઓ છે. (૧) દેઢ ગાઉની પ્રદક્ષિણા; જે નવ ટૂંકોના કિલ્લા બહાર રામપળથી જમણી બાજુએ ફરીને હનુમાનદ્વાર થઈ રામપાળ આવતાં દેઢ ગાઉની પ્રદક્ષિણ ગણાય છે. (૨) છ ગાઉની પ્રદક્ષિણા; રામપિળના દરવાજાની જમણી બાજુએથી શરૂ થાય છે, મોખરી ટેકરીની પાસેના માગે અડધે ગાઉ જતાં “ઉલકાજલ” નામે સ્થળ આવે છે. અહીં એક નાની દેરીમાં આદિનાથ પ્રભુનાં પગલાં છે, તેનાં દર્શન કરી પિણું ગાઉ ઉપર ચિલણ તળાવડી આવે છે. અહીં નાની બે દેરીઓમાં શ્રી અજિતનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. કહેવાય છે કે, સુધમસ્વિામી ગણધરના શિષ્ય ચિલ્લણ તપસ્વી સંઘ સાથે અહીં આવ્યા હતા. આખોયે સંઘ તરસથી તરફડવા લાગે ત્યારે ચિલ્લણ મુનિએ પોતાની લબ્ધિશક્તિથી અહીં એક તળાવ બનાવી દીધું ને સંઘની રક્ષા કરી
SR No.011535
Book TitleJain Tirth Sarva Sangraha Part 01 Khand 01
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages501
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy