SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ '(૧૭ * * * : - : - - પછી શતરૂઘનની સામે યુદ્ધ કરવા લાગ્યો. તે સંગ્રામમાં પરસ્પરનાં અવા કાપી નાંખીને દેવ અને અસુરની પેઠે તે બેઉ પરસ્પર શસ્ત્ર તથા અસનો વરસાત વસાવવા લાગ્યા. તે વખતે શતરૂઘને, લક્ષ્મણે દીધેલા સમુદ્રાવર્ત ધનુષ્ય તથા અઝીમુખ બાણ એ બેઉનુ સ્મરણ કરવું તેવાં જ તે પ્રગટ થઈને સામે આવી ઉભાં રહ્યાં. પછી તે ધનુષ્ય સ%જ કરીને તે અઝીમુખ બાણ વડે શતરૂઘને મધુ રાજાને ઘાયલ કર્યો. તે બાણના મારથી વિકલ થયેલો મયુ વિચાર કરવા લાગીયો કે મારૂ ત્રિશુળ હાથમાં આવ્યું નહી, અને આ શતરૂઘને પણ માર્યો નહી, માટે મારો જન્મ વ્યર્થ ગ, તેમજ શ્રી જિનદ્રની પૂજા પણ કરી નહીં; દેરાસરો પણ બાંધ્યાં નહી, સત્ય વડે દાન પણ કચાં નહીં, એવો વિચાર કરીને તેણે દીક્ષા લીધી. પછી નવકાર મત્રનો જાપ કરીને કાળ કરી ગયા પછી સનસ્કુમાર દેવલોકમાં તે મધુ મહર્દિક દેવ થયો. તેના શરીર ઉપર દેવોએ ફુલોનો વરસાત કરીને એનો જય થાઓ એવી રીતે તેઓ બોલવા લાગીયા. પછી તે દેવતારૂપ ત્રિશુળ ચમક પાસે આવીને તેણે શતરૂઘનના હાથે મધુના મૃત્યુની વાત કહી સંભળાવી. ત્યારે અમરેંદ્ર મેધમાં આવીને પોતે ચા લ્યો. તે વખતે વેદારી નામને તાસ્વામી તેને પુછવા લાગીયો કે તુ કયાં જાય છે ત્યારે ચમક બોલ્યો કે મારા મિત્રને મારનારા શતરૂઘનને મારવા સારૂ હું જાઉ છું. એવું તેનું બોલવું સાંભળીને તેને તે વેણુદારી કહેવા લાગીયો કે ધરણંદ્ર પાસેથી રાવણને મળેલી શક્તિને પણ મહા પુન્યવાન જે અર્ધ ચકી લક્ષ્મણ તેણે જીતી લીધી. અને તે લક્ષ્મણે રાવણને મારયો. તેને સેવક મધુ તે બિચારો શા હિસાબમાં ! તે લક્ષ્મણની આજ્ઞાથી જ શ તરૂઘને સંગ્રામમાં મધુને મારો છે. એવું સાંભળીને ચમરેઠ તેને કહેવા લા ગ્યો કે, લક્ષ્મણે જે શકિતને છતી તે વિશલ્યા કન્યાના પ્રભાવથી હમણાં તેને વિવાહ કરયાથી તેનો પ્રભાવ જતો રહે છે. માટે મારા મિત્રને માર• E નારાને મારવા સારૂ શુ હું જાઉં નહી ? એમ કહીને ધમાં આવ્યો થકો ચમરેદ્ર શતરૂઘનના દેશમાં આવ્યો. ત્યાં ન્યાયમાં રહેલા સર્વ લોકોને તેણે યા. પછી પહેલાં પ્રજાને ઉપદ્રવ દેવા લાગ્યો. અને શતરૂઘનને દુઃખ દેવા સારૂ નાના પ્રકારની વ્યાધીઓ ઉત્પન્ન કરી, શતરૂઘનને પોતાના કુલ દેવતા એ વ્યાધી થવાનુ સર્વ કારણ કહ્યું ત્યારે ત્યાંથી નીકળીને તે અયોધ્યામાં રામ લક્ષ્મણની પાસે આવ્યો. એવા પ્રસંગે દેશભુષણ તથા કુલભુષણ એ
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy