SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪૧) જટી વિદ્યાધરને આલિગ કરયું. ને ફરી ફરી સીતાને વ્રત્તાંત રામે પુછો, ને તેને રતજીએ કહો. પછી સુગ્રીવાદિક મહા શુર વીરોને રામે પુછ્યું કે, તે રાક્ષસની લકા નગરી આઈથી કેટલી દુર છે? ત્યારે તેઓ કેહેવા લાગ્યા કે, લકા નગરી દુર અથવા પાસે હોવાથી શું કરવાનું છે--જગતને જીતવાવાળો જે રાવણ, તેની સામે અમે સર્વ તરખલાં જેવાં છીએ. ત્યારે તેઓને રામ કહેવા લાગ્યો કે, જય અથવા અજયનો વિચાર હું પુછતો ને. - થી. પણ તે રાક્ષસ ક્યા છે? તે બતાવો. એક વખત મને બતાવ્યા પછી મારા સામર્થની તમને ખબર પડશે. ત્યારે લક્ષ્મણ બોલ્યો કે, તે રાવણ કોણ છે? તેણે આ કામ કરવાથી કુત્રાની પેઠે નિર્મળ જણાય છે. કેમકે, કપટ કરી સીતાનું હરણ કર્યું. પણ મારા ક્ષત્રિય ધર્મ કરી હું તેનું માથું કાપ્યા વિના રહીશ નહી. તમે સભ્ય થઈને માત્ર સંગ્રામનાટક જુવો. ત્યારે જાંબુવાન બેલ્યો—તમે કહો છો તે યોગ્ય જ છે, પણ “જે કોટિશિલા નામક શિલાને ઉખેડશે. તે રાવણને મારશે એવાં અન તવીર્ય સાધુનાં વચન છે. ત્યારે હવે અમને વૈર્ય આવવા સારૂ તે શિલાનું ઉત્પાટણ કરો. ત્યારે લક્ષ્મણે કહ્યું કે, તે હું કબુલ કરૂ છું. ત્યારે જાંબવાનાદિક સુભટો લક્ષ્મણને આકાશ માર્ગે લઈ જઈને જ્યાં તે કોટિશિલા હતી ત્યાં તે વિદ્યાધરોએ ઉતારા રો. તેને જોઈને પાસે જઈ લતાની પેઠે તે શિલાને લક્ષ્મણે ઉખેડી નાખી. તે સમયે દેવોએ તેની ઉપર ફુલોની દ્રષ્ટિ કરી. ત્યારે વિદ્યાધરોને ધૈર્ય આવ્યા થી ફરી આકાશ માર્ગ ઉડીને કિષ્કિા નગરી પત્યે આવ્યા. ત્યાં રામની પાસે લક્ષ્મણ આવવા લાગ્યો ત્યારે ત્યાં આવેલા મોટા વાનર બોલવા લાગ્યા કે, તમારા હાથે રાવણને નાશ થશે. માટે પ્રથમ શતરૂ પાસે દુતને મેં કલો. એવી નીતી છે. દુતદ્વારા જે કાર્ય સિદ્ધિ થઈ તો યત્ન શા સારૂ કરવા તેથી ત્યાં એક મહા પરાક્રમી દુતને મોકલો, કેમકે તે લકામાં જવા આવવાને ઘણું કઠણ કામ છે, એમ સભળાય છે. તે તે લકામાં જઈને સીતા પાછી દવા વિષે બિભીષણને કહેવું. કેમકે તે રાક્ષસકુળમાં વજનદાર છે. સી તાને મુકી દેવાને તે રાવણને બોધકરશે. અને જે રાવણે તેનું નહીં માને તો તે તમારા તરફમાં થશે. એ વચને રામે માન્ય કરચાં. એટલામાં સગ્રી હનુમાનને બોલાવવા સારૂ એક શ્રીકૃતિ નામના વાનરને મોકલ્યો. તેના કહ્યાથી હનુમાન ત્યાં આવીને સુગ્રીવાદિક સહિત બેઠેલા રામને નમકાર કરો. ત્યારે સુગ્રીવ રામને કહેવા લાગ્યો કે આ મહા પરાક્રમી હ. છે * * * * * * * * * I
SR No.011527
Book TitleJain Kavya Sara Sangraha
Original Sutra AuthorN/A
AuthorNathabhai Lallubhai Sha
PublisherNathabhai Lallubhai Sha
Publication Year1882
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy