________________
જૈન કવિઓએ ઘણે ભાગે સસ, સજઝાય, સ્તવને લખ્યાં છે. આ 'શરે સાડા ત્રણસેં રાસ તે હાથ આવ્યા છે. એથી વિશેષ જે હજી ભંડારમાં પડયા હેય ને પ્રસિદ્ધિમાં ન આવ્યા હોય તે તે જુદા. આ બધા રાસ વડે કેટલાં કાવ્યદેહનનાં પુસ્તક ભરાય તેને વિચાર કરવા ગ્ય છે. અત્યાર સુધી ગુજરાતી ભાષા જાણનારાઓ એમ માનતા હતા કે ગુજરાતી ભાષામાં પ્રથમ કવિતા લખનાર નરસિંહ મહેતે એકલાજ હતા. પરંતુ બંને પરિષદુન્ના માનવંત પ્રમુખ સાહેબના ભાષણે ઉપરથી સર્વેના જાણવામાં આવ્યું હશે કે નરસિહ મહેતા પહેલાં પણ અમુક શતક સુધીની ભાષાને ગુજરાતી ભાષા કહી શકાય છે અને તે શતકામાં બીજા કવિઓ તથા લેખક થઈ ગયા છે. , - થોડી મહેનતે સમજી શકાય એવી જૈન સાધુની જૂનામાં જૂની જે કવિતા અત્યારે મળે છે તે મુનિશ્રી વિજયભદ્રની છે કદાચુ વિજય ભદ્ર એ સંણિત અથવા પર્યાયવાચક નામ પણ હોય. વિજયભદ્ર પહેલાંની કેટલાક શતકની-ગુજરાતી કવિતાનાં ડાં ઉદાહરણે શ્રીયુત કેશવલાલ ભાઈ તરફથી આપવામાં આવ્યાં હતાં. સં. ૧૩૨૭ માં રચાયેલા “સપ્તક્ષેત્રી રાસ” કે સ ૧૩૪૭ માં રચાયેલા “ પ્રબંધ ચિંતામણિ” ગ્રંથ કે તેજ અરસામાં રચાયેલા રત્નસિ હરિના “ઉપદેશમાળા” નામે ગ્રંથમાંથી કઈ ઉદાહરણ આપી શકાય અહી વિજયભદ્ર મુનિથી જેન રાસની શરૂઆત ગણ વિશેષ ભાગે રાસ વિષે કંઈક કહેવા ઈચ્છું છું, વિજયભદ્ર કે ઉદયવંત મુનિ નરસિહ મહેતા પહેલાં આશરે સોએક વર્ષ ઉપર થયા હતા. નરસિંહ મહેતો જ્યારે સં. ૧૫૦૦ માં હતા એમ કાવ નર્મદાશંકર કહે છે ત્યારે વિજયભદ્ર મુનિ સ. ૧૪૧૨ માં હતા એમ ગામરાસ કહે છે.
કવિતાઓના જે જે ગ્રંથો છેલ્લાં પાંચ સાત શતકમાં જૈન કવિએ લખ્યા છે તેમાંના ઘણુંખરાને તેમણે રાસ ” નામ આપ્યું છે. રાસ” શબ્દ પ્રથમ શ્રીમદ્ ભાગવતમાં જોઈ શકાય છે. રાસમાં જુદી જુદી નીતિની અને ધર્મની વાત સમજાવવા માટે મહા પુરૂષોનાં ચરિત્ર કથારૂપે આપ્યાં છે, પરંતુ પોતાની કવિતાના રથને રાસ કહેવાનું શું ખાસ કારણ હશે તે વિચારવા જેવું છે. હાલના પુષ્ટિમાર્ગ વૈષ્ણવ ધર્મમાં રાસ,