________________
મદિરાય કશ્રી ઇ તાન છે. જે આપીશ
જૈન ધર્મ સંબંધી સાહિત્ય વિશાળ તેમજ ગહન છે. તેની શોધ બહુ થોડી થયેલી છે અને તે પણ ડુક થયાં એટલે તે ધર્મ સબંધી ઈતિહાસ જવા પૂર્વે ભાષાંતર અને શેધખોળ રૂપે હજુ ઘણું કરવાનું છે. એ સાહિત્ય એક તે વિશાળ રહ્યું , બીજુ ગહન રહ્યું અને એ અગે જોઇતી શોધખોળો અધુરી એથી એમાં તનુ વાસ્તવિક સ્વરૂપ શુ છે એ સંબંધી અજ્ઞાનતા રહે એ સ્વાભાવિક છે. તેથી પાશ્ચાત્ય વિદ્વાનોની શુભ લાગણી જન સાહિત્ય જીતી શકયું ન હોય તો તેમાં આ અજ્ઞાનતા કદાચું એક કારણ ગણી શકાય.
બીજી સાહિત્ય પરિષના વિચારવંત અને વિદ્વાન પ્રમુખશ્રી કેશવલાલ હર્ષદરાય પ્રવેશ્રી હેમચંદ્રાચાર્ય વગેરે જન પંડિતેના સાહિત્ય વિષે જે યોગ્ય ઇસારા કર્યા છે તે તે હજી તાજા છે. તેથી વિસ્તારભયથી અહી નહિ ઉતારતાં સર્વ સામાન્ય તેઓનાં થોડાંક શબ્દ આપીશુ તે બસ થશે.
“ વાસ્તવિક રીતે ગુજરાતી ભાષાના ત્રણ યુગ છે. ઈસ્વીસનના ૨૦ માં ૧૧ માં શતકથી ૧૪ મા શતક સુધીને પહેલે યુગ; ઉપ મા શતકથી ૧૭ મા શતક સુધીનો બીજો અને તે પછીનાં શતકને ત્રીજો. પહેલા યુગની ભાષાને અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નામ આપવું ઘટે છે. બીજા યુગની ગુજરાતી....ને મધ્યકાલીન ગુજરાતી કહેવી ગ્ય છે. ત્રીજા યુગની ગુજરાતીને અર્વાચીન ગુજરાતી સંજ્ઞા આપવામાં મતભેદ હોયજ નહિ. પહેલાં પાંચ શતકની ભાષા ગુજરાતી છે તેની પ્રતીતિ સારૂ કાલક્ષેપને ઉપાલંભ હેરીને પણ શતકવાર ઉદાહરણ આપવાની જરૂર છે. એ પાંચ શતકના સાહિત્યને ગેરઈનસાફ થયો છે. કેમકે મધ્યકાલીન ગુજરાતીને જ પ્રાચીન કાવ્ય ત્રિમાસિક અને પ્રાચીન કાવ્યમાલાના અભિમત તંત્રી ગુજરાતી ગણવા ના પાડે છે, ત્યાં પ્રાચીન ગુજરાતીને તે ધાજ થવો કે ? માતપિતા મેટાં છોકરાને ઇનકાર કરી નાવારસ ઠેરવે ને હાના બાળકને જ કબુલ રાખે તેના જેવું આ તે થાય છે. અવમાનિત સાહિત્યની શોધખોળ થતી નથી. અભ્યાસ થતો નથી, ચર્ચા થતી નથી ને ગુજરાતો અગુજરાતીની યોગ્યતા તપાસાયા વગર અવળું વેતરાયાં જાય છે. વગર ઓળખે અથવા ભૂલમાં ભટકાઈ અજ્ઞાનના અંધારાર્મા પ્રકાશની રાહ જોયા વગર આપણે આપણું સાહિત્યવડની જમીનમાં ઉંડી ઉતરેલી વડવાઓ વાઢી નાંખવા પ્રવૃત્ત થઈએ છીએ.”