________________
૩૧૦
(૧૧) તમારા તરફથી તમારા હાથે લખાયેલ સાહિત્ય મળેલ છે. ખૂબ જ સરલ સુબોધ ભાષામાં તત્વજ્ઞાનને સમજાવવાનો પ્રયાસ એ. તમારા લેખનની વિશેષતા છે. લી. કલાપ્રભસાગર આદિના સાદર ધર્મલાભ મુબઈ તા. ૧૦–૧૦–૭૮
(૧૨) આપનાં લેખિત પુસ્તક વાંચી અસીમ હર્ષ થયો છે. હવે આત્મવિજ્ઞાન પુસ્તક વાંચીને આત્માને વિકસિત બનાવીએ એ જ મહેચ્છા. આપ જે જે પુસ્તકોનું પ્રકાશન કરે તે તે પુસ્તકે અમને મળવાં જોઈએ, એવી આશા રાખીએ છીએ. લી. પઘલતાશ્રી તથા હર્ષાવાશ્રી તરફથી ધર્મલાભ મદ્રાસ
તા ૧૯-૧૦-૭૮ (૧૩) આમવિજ્ઞાન ભાગ પહેલાની દ્રિતિયાવૃત્તિની નકલે અમને મળી ગઈ છે, અમારા સંબંધીઓમાં જ્યા જ્યાં આ પુસ્તક આપ્યું ત્યાં તેની ભાષાની સરલતા, ગુઢતત્વજ્ઞાનને સહેલાઈથી સમજી શકાય તેવી શૈલીનાં ઘણું વખાણ થયા. * *
લી. પ્રવીણ શાહ. મુંબઈ તા ૩૧-૭-૮૦
(૧૪) ધર્મલાભ સાથે લખવાનું કે તમે પાઠવેલ આત્મવિજ્ઞાન ભાગ પહેલે મળી ગયું છે. તમારા દીર્ઘચિંતન – મનનમાથી સરજાયેલું આ સાહિત્ય સુંદર અને વાંચને બંધ કરાવે એવું અને વાંચતાં ગમે એવું છે. લી. પૂર્ણચન્દ્ર વિજયના ધર્મલાભ. પાટણ તા. ૧૫–૧૦–૭૮
(૧૫) . આપનાં પુસ્તકે મે વાગ્યા પછી ઘણો જ પ્રભાવિત થયા હતા.