SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૧ થતા ઉપસર્ગ નિવારણમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથની વર્તતી સમભાવી વિચારધારા આપણને ઉપરોક્ત હકીક્તની સાચી સમજ પેદા કરે છે. વળી સંગમદેવ દ્વારા થતા ઉપસર્ગ સમયે પ્રભુ શ્રી મહાવીરદેવને વર્તતે કરૂણાભાવ જ, સાચી મહાવીરતાને આપણને પરિચય કરાવે છે. અનંત જન્મ અને તેથી થતા અવિરત કાર્યમાં, માણ સનું સંચિત પ્રારબ્ધ જ કામ કરી રહ્યું હોય છે. પ્રારબ્ધની અસર થાય છે જ. અને કરેલાં કર્મનું ફળ ભેગવ્યે જ છૂટકે છે. પ્રારબ્ધ પ્રાપ્તિમાં નિમિત્તભૂત બનતા, અનુકુળ યા પ્રતિકૂળ સંગેનો તેમાં કંઈ પણ દેષ હેતું નથી. એટલે જ જ્ઞાની પુરુષો તેવાં નિમિત્ત કારણો પ્રત્યે ઔદાસિન્ય વૃત્તિવાળા બની રહે છે. માણસનાં કર્મ કે આચરણના ગુણદોષ પ્રમાણે ઘડાતા સારા યા નરસા ભાવિને જ, સંચિતનશીબ તથા પ્રારબ્ધ કહેવાય છે. પ્રત્યેક જીવનું જીવન તેની પ્રત્યેક હાલતમાં કાંઈને કાંઈ કર્મ કરતું જ રહે છે. એ કર્મ તે મનથી, વચનથી, અને કિયાથી એમ ત્રણ પ્રકારની ગતિથી થાય છે. તેમાં સૂમ પ્રક્રિયાથી થતા કર્મના ગુણદોષનું માપ કાઢવાનું કઠણ બને છે. પ્રાણીમાત્રનું વિવિધ જીવન એ અકસ્માત નથી, પણ. એ તે પૂર્વજીત હોય છે. મા-આપ, ભાઈ-બહેન, પત્ની અને સંતાનો. દસ્તે અને વિરોધીઓ, એ બધાં પૂર્વ સંચિત. કર્મ પ્રમાણે જ છે. લક્ષ્મી, આરોગ્ય અને સ સ્કાર પણ
SR No.011520
Book TitleJain Darshan nu Padarth Vigyan
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy