________________
४८
જૈન દર્શનને કર્મવાદ
-
-
ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય વિદ્યમાન. હોય ત્યાં સુધી સત્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરંતુ વિપરિત વિચાર ઉત્પન્ન થાય છે. મોક્ષના વિષયમાં અરૂચિ રહે છે. આત્માની તરફ દૃષ્ટિ જતી નથી. પાપ તરફ ઝુકાવ રહે છે. અને સંસારી સુખ જ સારાં લાગે છે. કેવલ વર્તમાન ભવ પૂરતી જ દૃષ્ટિ રાખીને તેને જ વિકસિત કરવાને માટે જીવ. અનેક પ્રયત્ન કરે છે.
માટે સંસારાભિમુખ આત્માનું જ્ઞાન લૌકિક દષ્ટિથી ગમે તેટલું વિશાલ અને સ્પષ્ટ હોય તે પણ સમભાવનું નહિં હોવાથી જેટલા પ્રમાણમાં સંસારિક વાસનાનું પિષક હોય છે તેટલા પ્રમાણમાં અજ્ઞાન કહેવાય છે. આત્માના વિષયમાં અજ્ઞાત રાખવાવાળું લૌકિકજ્ઞાન આધ્યાત્મિક દષ્ટિથી અજ્ઞાન જ છે. આત્મજ્ઞાનીના છેડા પણ જ્ઞાનને. ઉપગ આત્મિક તૃપ્તિમાં થતો હોવાથી તે જ્ઞાનને આધ્યાત્મિક દૃષ્ટિથી જ્ઞાન જ કહેવાય છે. જ્ઞાન આત્મશાંતિકારક, * છે. જ્યારે અજ્ઞાન અશાંતિકારક છે.
મતિ, શ્રત અને અવધિજ્ઞાન તે સમ્યગ્ર અને મિથ્યાત્વના હિસાબે જ્ઞાન તથા અજ્ઞાન એમ બે સ્વરૂપે હોઈ શકે છે. મન ૫ર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં મિથ્યાત્વ હોઈ
તું જ નથી એટલે તેના જ્ઞાન અને અજ્ઞાન રૂપ ભેદ નથી.
અઢી દ્વીપ (મનુષ્ય ક્ષેત્રોમાં રહેલ સંક્ષિપર્યાપ્ત પંચે